બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / fast boller bhuvneshwar kumar undergoes sports hernia surgery in london to undergo rehabilitation at nca
Last Updated: 04:55 PM, 16 January 2020
ADVERTISEMENT
માનવામાં આવી રહ્યું છે કે 29 માર્ચનાં દિવસે શરુ થતી આઈપીએલ દરમીયાન તેઓ પરત ફરશે અને સનરાઈઝર્સ માટે ક્રિકેટ રમશે. બોર્ડ સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું કે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને 9 જાન્યુઆરીએ લંડન લઇ ગયાં હતા. 11 જાન્યુઆરીએ તેમનું સ્પોર્ટસ હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાનાં ફીઝીયો યોગેશ પરમાર તેમની સાથે હતા.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે 'ભુવનેશ્વર હવે ભારત પરત ફરશે અને બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશન કરાવશે.'આગામી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી નથી. ગયા વર્ષે ભુવનેશ્વરે 33 વન ડેમાં 33 વિકેટ અને 17 T20માં 18 વિકેટ લીધી હતી.
BCCIએ વધુમાં જણાવતાંએ કહ્યું કે બેટ્સમેન પૃથ્વી તેમના ખભાની ઈજા બાદ ભારતની ટીમ એમાં સામેલ થઇ ન્યુઝીલેન્ડનાં પ્રવાસે જશે. જ્યારે ભારતની સીનીયર ટીમ 24 જાન્યુઆરીએ શરુ થનાર પાંચ T20, ત્રણ વન ડે અને 2 ટેસ્ટ રમશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.