રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 19મો દિવસ થયો છે. ત્યારે સૌ કોઇ એવું ઇચ્છે છે કે, હવે આ યુદ્ધનો અંત આવે અને વિશ્વમાં શાંતિ સ્થપાય.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 19 દિવસ થઇ ગયા છે. ત્યારે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધ વચ્ચે સુરતની ફેશન ડિઝાઇનિંગ સંસ્થાએ બાળકો માટે ફેશન પ્રોગ્રામનું આયોજન કરીને શાંતિનો સંદેશ આપ્યો છે. સંસ્થાના ડિરેક્ટરે જણાવ્યું કે, 'નાના બાળકોએ પ્રદર્શન કરીને શાંતિનો સંદેશ આપ્યો હતો. અમે એક નવી શરૂઆત કરી છે.'
गुजरात: रूस और यूक्रेन के बीच चल रहे युद्ध के बीच सूरत के फैशन डिजाइनिंग संस्थान ने बच्चों के द्वारा फैशन कार्यक्रम का आयोजन कर शांति का संदेश दिया।
संस्थान की निदेशक ने बताया, "यहां छोटे- छोटे बच्चों ने प्रस्तुति देकर शांति का संदेश दिया। हमने नई चीज़ की शुरुआत की है।" (13.3) pic.twitter.com/eXgIU5YcCK
જણાવી દઇએ કે, રવિવારના રોજ રશિયાએ પશ્ચિમ યુક્રેન સ્થિત લશ્કરી તાલીમ મથક પર મિસાઈલ હુમલો કર્યો છે. રશિયાએ તેની અંદર 180 વિદેશી લડાકુના મોતનો દાવો કર્યો છે. રશિયાએ એવો દાવો કર્યો છે કે, તેણે યુક્રેનના સૈન્ય મથક પર 30થી વધુ મિસાઇલો છોડી છે. જો કે, યુક્રેનએ તેનાથી અલગ દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, આ હુમલામાં 35 લોકોના મોત નિપજ્યાં છે.
યુદ્ધ વચ્ચે યુક્રેને એવો દાવો કર્યો છે કે, તેઓએ 13 માર્ચે 4 રશિયન લશ્કરી વિમાનો અને 3 હેલિકોપ્ટરને ઠાર કર્યા છે. કહેવામાં આવ્યું કે, આ હુમલો એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી કરવામાં આવ્યો હતો.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 596 નાગરિકો માર્યા ગયા
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 596 નાગરિકોના મોત નિપજ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રે આ અંગેની જાણકારી આપી છે. યુએનના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 596 નાગરિકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 1,067 લોકો ઘાયલ થયા છે.