ફરૂખાબાદમાં 23 બાળકોને બંધક બનાવ્યા હતાં. જેને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ બાળકોને બાનમાં લેનારા સુભાષની પત્નીને ઈંટો અને પથ્થરો મારી ઈજાગ્રસ્ત કરી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યોગી સરકારે ઓપરેશન હાથ ધરનાર પોલીસની ટીમને 10 લાખનાં ઈનામની જાહેરાત કરી છે.
સુભાષની પત્નીનું ટોળાએ પથ્થર મારી મોંત નિપજાવ્યું
સુભાષ પાસે પોલીસ સામે 2 દિવસ લડી શકે તેટલો દારુગોળો હતો
સુભાષને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો.
ફાયરિંગ થતાં રુબીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો
ફરૂખાબાદમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા સુભાષે પોતાની ઉપર ચાલી રહેલા કેસ પાછા ખેંચાય તે માટે 23 બાળકોને બંધક બનાવ્યાં હતાં. જેને પગલે પોલીસે 11 કલાકનું ઓપરેશન હાથ ધરી બાળકોને સહી સલામત બહાર કાઢ્યાં હતા. સુભાષ અને પોલીસ વચ્ચે સામ સામી ફાયરિંગ થઈ હતી. આ દરમિયાન સુભાષની પત્ની રુબીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે લોકોનાં હાથે લાગી ગઈ હતી.
આક્રોશિત ગામના લોકોએ મહિલાને ઈંટ-પથ્થરોથી મારવાનું શરૂ કરી દીધું.
લોકો સુભાષનાં બાળકોને બાનમાં લેવા અને ફાયરિંગ કરવાની હરકતથી નાખુશ હતાં. રોષે ભરાયેલા લોકોએ સુભાષની પત્નીને ઈંટો - પથ્થરો ફટકારી મારી નાંખી હતી. મહિલા તેમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ તેના માથા પરથી લોહી વહી રહ્યું હતું. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તેનું સારવાર દરમિયાન મોંત નિપજ્યું હતું.પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થશે કે મહિલાનું મોત કેવી રીતે થયું છે. ઉલ્લેખનીય છે કે સુભાષનું આ ઘટનાના પગલે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
સુભાષ પાસે 2 દિવસ પોલીસ સામે લડી શકે તેટલો દારુ ગોળો હતો
પોલીસે જણાવ્યું હતું તે સુભાષ પાસે એટલા જથ્થામાં દારુગોળો હતો કે તે 2 દિવસ સુધી પોલીસનો સામનો કરી શકતો હતો. 25-30 ગોળી, એક દેશી તમંચો, એક રાઈફલ અને મોટી સંખ્યામાં દારુ ગોળો. બે મહિના પહેલા જ તેને જામીન મળ્યા હતા. તે આ કૃત્ય કરી તેની પરનાં કેસ પાછા ખેંચવા દબાણ લાવવા માંગતો હતો.