રાષ્ટ્રપતિ પદ માટે પોતાની નામની ઉમેદવારીને લઈને શનિવારે નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલાએ મોટી જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાંથી ફારુક અબ્દુલા હટી ગયા
વિપક્ષે સંયુક્ત રીતે બે નામના આપ્યા હતા વિકલ્પ
શરદ પવારે તો અગાઉથી ના પાડી દીધી છે
રાષ્ટ્રપતિ પદ માટે પોતાની નામની ઉમેદવારીને લઈને શનિવારે નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલાએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, હું ભારતના રાષ્ટ્રપતિ માટે સંભવિત સંયુક્ત વિપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામ વિચારમાંથી પાછુ ખેંચુ છું. ફારુક અબ્દુલાએ કહ્યું કે, મારા માનવું છે કે, જમ્મુ અને કાશ્મીર એક મહત્વના મોડમાંથી પસાર થઈ રહ્યું છે. તથા આ અનિશ્ચિત સમયને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે મારી ત્યાં જરૂર છે.
તેમણે કહ્યું કે, મારી આગળ ઘણી સક્રિય રાજનીતિ છે અને હું જમ્મુ કાશ્મીર અને દેશની સેવામાં જ પોઝિટિવ રીતે યોગદાન આપવા માટે તત્પર છું. મારા નામને પ્રસ્તાવિત કરવા માટે હું મમતા દીદીનો આભારી છું. હું એ તમામ વરિષ્ઠ નેતાઓનો આભારી છું, જેમણે મારા નામનું સમર્થન કર્યું છે.
I withdraw my name from consideration as a possible joint opposition candidate for the President of India. I believe that Jammu & Kashmir is passing through a critical juncture & my efforts are required to help navigate these uncertain times: NC chief Farooq Abdullah
મમતા બેનર્જી તરફથી વિપક્ષી પાર્ટીઓની બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રપતિ ઉમેદવાર માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અથવા ફારુક અબ્દુલાના નામોને વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા હતા. પણ આ બંને નેતાઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. શરદ પવાર તો પહેલાથી જ પોતાનું નામ પાછુ ખેંચી ચુક્યા છે.
વિપક્ષી પાર્ટીઓની 15 જૂને થયેલી બેઠકમાં રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષ તરફથી મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. સૂત્રોનું માનીએ તો, રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર નક્કી કરવા માટે વિપક્ષ હજૂ પણ એક મીટિંગ રાખશે. અને આ બેઠક માટે સમય અને જગ્યા નક્કી કરવાની જવાબદારી શરદ પવારને સોંપવામાં આવી છે.