દિલ્હી: અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભામાં મહાનુભાવો દ્વારા અટલજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ વાજપેયીની સાથેના પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપતા વાજપેયીના ભરપૂર વખાણ કર્યા હતા. અબ્દુલાએ પોતાના પ્રવચન બાદ 'ભારત માતા કી જય'ના નારા લગાવીને બધાને અચંબિત કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સાર્વજનિક સર્વદળીય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રાર્થના સભામાં ભારતીય રાજકારણના તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ નેતાઓએ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યો હતા.
#WATCH: Former J&K CM Farooq Abdullah says 'Agar Atal ko yaad rakhna hai to uss desh ko banao jismein prem itna ho ki dunia jhukne aa jaaye iss desh ke saamne ki ye desh hai jo prem baant'ta hai. Wo prem baantiye wahi hamari sabse badi shradhhanajli hogi #AtalBihariVajpaee ko.' pic.twitter.com/MYbhVArRsA
અટલજી સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા ભાવૂક થયાં હતા અને અટલજીના વખાણ કરીને દેશમાં તમામ પક્ષોને એક થઇને ભારતને નવી ઓળખ આપવાની વાત કરી હતી. આ સાથે અબ્દુલ્લાએ ચાલુ પ્રવચને ભારત માતાની જયના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા. અબ્દુલ્લાના અચાનક આ પ્રકારના વર્તનને કારણ પ્રાર્થના સભામાં હાજર તમામ લોકો અચંબિત થઇ ગયા હતા.
આપને જણાવી દઇએ કે સોમવારે સાંજે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલ સર્વદળીય પ્રાર્થના સભામાં મોહન ભાગવત અમિત શાહ નરેન્દ્ર મોદી એલ.કે.અડવાણી.કોંગ્રેસના ગુલાબનબી આઝાદ સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ અટલજીને શાબ્દીક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.