જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પ્રાદેશિક પક્ષો સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા
પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહાર કર્યા
જ્યાં સુધી તમે જમ્મુ-કાશ્મીરમાં લોકોના દિલ નહીં જીતો ત્યાં સુધી મને શાંતિ નહીં મળે
કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન
પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહાર કર્યા
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા અબ્દુલ્લાએ કહ્યું, "જ્યાં સુધી તમે જમ્મુ અને કાશ્મીરમાં લોકોના દિલ નહીં જીતો ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અને ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ નહીં થઈ શકે."
#WATCH | While speaking during an event in Delhi on May 29, National Conference leader Farooq Abdullah said, "...There cannot be peace in Jammu & Kashmir till you'll win hearts of the people..." pic.twitter.com/DI6ikHlfdg
હકીકતમાં, એક કાર્યક્રમ દરમિયાન નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરમાં દરરોજ મોત થઈ રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ દિવસ એવો નથી જ્યારે મૃત્યુ ન થઈ રહ્યા હોય. કેન્દ્રશાસિત પ્રદેશનો મોટો હિસ્સો સેનાના જવાનોથી ઢંકાયેલો છે. સેના હંમેશા લોકોના દિલ જીતી શકતી નથી. તેના બદલે, પ્રેમની જરૂર છે અને કેન્દ્રએ તે સમજવાની જરૂર છે.
આ વર્ષે 26 આતંકવાદીઓ માર્યા ગયા
26 મેના રોજ, જમ્મુ અને કાશ્મીર પોલીસે અહેવાલ આપ્યો હતો કે વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સંગઠનોના 26 આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 26 આતંકવાદીઓ માર્યા ગયા છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાશે
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે ઉનાળાની રજાઓ પછી સુનાવણી કરશે. પાંચ જજોની બેંચ તેની સુનાવણી કરી શકે છે. અરજીઓમાં જમ્મુ-કાશ્મીરને બે રાજ્યોમાં વિભાજીત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.