નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલા અને પીડીપી ચીફ મહેબૂબા મુફતી સહિતના ગુપકાર ગઠબંધનના ટોચના નેતાઓએ નવી દિલ્હીમાં 24 જુને પીએમની બેઠકમા ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
શ્રીનગરમાં ગુપકાર ગઠબંધનની બેઠક મળી
પ્રધાનમંત્રીની બેઠકમાં ભાગ લેવાનો ગુપકારનો નિર્ણય
આર્ટિકલ 370 અને 35 Aના મુદ્દે બાંધછોડના મૂડમાં નહીં
ગુપકાર ગઠબંધને પ્રધાનમંત્રી મોદીની 24 મી જુને યોજનારી સર્વપક્ષીય બેઠક અંગે મોટો નિર્ણય લીધો છે. ગુપકાર ગઠબંધને એવું જણાવ્યું કે અમે આર્ટિકલ 370 અને 35 એના મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માગતા નથી.
ગુપકાર ગઠબંધનના પ્રમુખ ફારુક અબ્દુલાએ કહ્યું કે અમને પ્રધાનમંત્રી મોદીનુ આમંત્રણ મળ્યું છે અને અમે તેમના ભાગ લેવાના દિલ્હી જવાના છે. અમે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી સમક્ષ અમારો એજન્ડા રજૂ કરીશું તથા ત્યાર બાદ જે જવાબ મળે તેની લોકોને જાણ કરીશું.
આ પ્રસંગે મહેબૂબા મુફતીએ જણાવ્યું કે હું મૂકપ્રેક્ષક બની રહેવા માંગતી નથી. હું સંવાદની પ્રોસેસનો હિસ્સો બનવા માગું છું. તેમણે કહ્યું કે આપણી સરકારે દોહામાં તાલિબાન સાથે વાતચીત કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે પણ સંવાદ થવો જોઈએ. જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જા વિશે વાત કરતા મુફતીએ કહ્યું કે આ તો પગ કાપી નાખ્યા બાદ મોજા પહેરવા આપવા જેવો ઘાટ થયો.
ગુપકાર ગઠબંધનમાં છ રાજકીય પક્ષો સામેલ
ગુપકાર ગઠબંધનમાં જમ્મુ કાશ્મીરની 6 રાજકીય પાર્ટીઓ સામેલ છે. શ્રીનગરમાં ગુપકાર ગઠબંધનની બેઠક મળી અને તેમાં પ્રધાનમંત્રી મોદીની બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કરાયો છે.