તેમના નિવેદનને તિરંગાને અપમાન સાથે ગણીને જોડવામાં આવી રહ્યું છે
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ દેશની શાન ગણાતા તિરંગાનું અપમાન કરતું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા' અભિયાન વિશે પત્રકારના સવાલનો જવાબ આપતા અબ્દુલાએ કહ્યું કે તિરંગો ઘરમાં રાખો. તેમના કહેવાનો એવો અર્થ થતો હતો કે તિરંગો ઘરમાં જ રાખો તેને ઘર લાવવાની જરુર નથી. તેમના આ નિવેદનને તિરંગાને અપમાન સાથે ગણીને જોડવામાં આવી રહ્યું છે.
Srinagar, J&K | Keep it (the Tiranga) in your house: J&K National Conference chief Farooq Abdullah, when asked about 'Har Ghar Tiranga' campaign pic.twitter.com/1N7xdenJgD
તમારા ઘરમાં રાખો તિરંગો
પત્રકારે જ્યારે ફારુક અબ્દુલાને 'હર ઘર તિરંગા' અભિયાન વિશે તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કાશ્મીરી ભાષામાં જવાબ આપ્યો, 'તમારા ઘરમાં રાખો.
અબ્દુલાના જવાબનો વીડિયો વાયરલ
અબ્દુલાના જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ફારૂક અબ્દુલ્લા શ્રીનગરના બજારની એક દુકાને પહોંચ્યા હતા. જતી વખતે તેમને પત્રકારોએ ઘેરી લીધા હતા. તેમને સૌથી પહેલા યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં ફારૂકે કહ્યું કે યશવંત સિન્હા 9 જુલાઈએ કાશ્મીર આવી રહ્યા છે. તેમના આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ત્યાર બાદ તેમને જ્યારે કેન્દ્રના અભિયાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવું વિચિત્ર નિવેદન આપ્યું હતું.
તિરંગા વિરોધી તેમના નિવેદનની ખૂબ ટીકા
ફારુક અબ્દુલાના તિરંગો વિરોધી નિવેદનની દેશભરમાં ખૂબ ટીકા થઈ રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર તેમની પર પસ્તાળ પાડી હતી.
શું છે સરકારનું 'હર ઘર તિરંગા' અભિયાન
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટે 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત લોકોને પોતાના ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Journalist: Sir Har Ghar Mein Tiranga. Kaise dekhte hain isko?
Farooq Abdullah (In Kashmiri): Keep that (Tiranga) at your home.
This is level of arrogance and disgraceful attitude shown towards Indian tricolour by someone who was made what he is today by Indian Constitution. pic.twitter.com/2Q9MInO16P
મહેબૂબા મુફ્તીએ પણ આપ્યું હતું તિરંગા વિરોધી નિવેદન
કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35Aમાં ફેરફાર પહેલા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પણ એકવાર તિરંગા વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "આટલી મુશ્કેલીઓ પછી પણ લોકો ભારતનો ઝંડો આપણા હાથમાં રાખે છે, પરંતુ જો કાશ્મીરમાંથી આર્ટિકલ 35A હટાવી લેવામાં આવશે તો અહીં તિરંગાને ખભો આપવાવાળું કોઈ નહીં રહે.