ગલગોટાના રસનો ઉપયોગ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોકને રોકવા માટે મદદગાર સાબિત થાય છે.
મામુલી રકમ ખર્ચ કરી 15 લાખ રૂપિયાની આવક
કેન્સર અને હૃદય રોગોમાં પણ હોય છે ગલગોટાનો ઉપયોગ
જાણો ખેતી કરવા માટે શેની પડશે જરૂર
કોરોના સંકટમાં જો તમે નોકરી છોડીને બિઝનેસ કરવા માંગો છો અને જો તમારી પાસે ખેતી લાયક જમીન છે તો અમે તમને સજાવટની સાથે દવાઓમાં ઉપયોગમાં લેવાતા ફૂલોની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. તેમાં તમે દર વર્ષે મામુલી રકમ ખર્ચ કરીને 15 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. તેમા માટે તમારી પાસે 1 હેક્ટર જમીન હોવી જોઈએ. તમે લગ્ન, તહેવાર સહિત મોટાભાગે શુભ પ્રસંગો પર ગલગોટાના ફૂલોનો ઉપયોગ થતા જોયો હશે. આ ફૂલો સજાવટમાં કામ આવવાની સાથે જ તેમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. ત્યાં તેના રસો ઉપયોગ ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓની સારવાર માટે પણ કરવામાં આવે છે. ઘણા ગંભીર રોગોની દવા બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં ગલગોટાના ફૂલની ખેતી કરવી ફાયદાનો સોદો છે.
કેન્સર અને હૃદય રોગોમાં પણ હોય છે ગલગોટાનો ઉપયોગ
ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોકને રોકવામાં મદદગાર સાબિત થાય છે. આટલું જ નહીં, આ ફુલમાંથી પરફ્યુમ અને અગરબત્તી પણ બનાવવામાં આવે છે. જો તમારી પાસે એક એકડ ખેતી લાયક જમીન છે તો તમે દર વર્ષે 5-6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. એક એકડ ખેતીમાં દર અઠવાડિયે 3 ક્વિન્ટલ સુધી ફુલની ઉપજ થાય છે. ખુલ્લા બજારમાં તેના ફૂલની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો સુધી મળે છે એટલે કે દર અઠવાડિયે 20 હજાર રૂપિયા સુધીની આવક થાય છે. જણાવી દઈએ કે દર વર્ષે ગલગોટાના ફૂલની ખેતી ત્રણ વખત કરી શકાય છે. તેને એક વખત લગાવ્યા બાદ બે વર્ષ સુધી ફુલનો પાક લઈ શકાય છે. વર્ષમાં એક એકડ જમીનમાં લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.
એક હેક્ટર ખેતરમાં 1 કિલો બીજની જરૂર પડે છે
એક હેક્ટર ખેતકમાં ગલગોટાના ફૂલની ખેતી કરવા માટે 1 કિલો સુધી બીજની જરૂર પડે છે. આ વચ્ચે ગલગોટાની ફુલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ ગલગોટાનો છોડ 4 પત્તાનો થાય ત્યાર બાદ તેની વાવણી શરૂ કરવામાં આવે છે. લગભગ 35-40 દિવસમાં ગલગોટામાં કળી આવવાની શરૂ થઈ જાય છે. સારી ખેતી ઉપજ માટે બીજની પહેલી કળીને લગભગ 2 ઈંચ નીચેથી તોડવી સારી માનવામાં આવે છે. તેમાંથી ગલગોટામાં એક સાથે ઘણી કળીયો આવે છે. જણાવી દઈએ કે પહેલા શિયાળાની સિઝનમાં ગલગોટાના ફૂલની ઉપજ લેવી મુશ્કેલ માનવામાં આવતી હતી પરંતુ હવે બાગાયતી વિભાગ સિઝન વગરના પાકને લઈને પણ ખેડૂતોની મદદ કરે છે.