પ્રવીણભાઈ માળી દ્વારા ખેડૂતોને જ્ઞાન આપી 2021ના વર્ષમાં 100 ખેત તલાવડી બનાવી 200 હેકટરમાં પિયત કરાવ્યું છે ચાલુ સાલે 40 ખેત તલાવડી બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
બનાસકાંઠામાં ખેત તલાવડી બની આશીર્વાદ
પ્રવીણભાઈની મહેનત લાવી રંગ
પાણીની સમસ્યાના નિવારણ માટે અનોખું અભિયાન
બનાસકાંઠામાં ચોમાસા દરમિયાન વરસાદ તો સારો પડે છે પણ વરસાદના પાણીનો સંગ્રહ નથી થતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે. મોટા ભાગના ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરી પાણી માટે આંદોલન કરી રહ્યા છે..ત્યારે બનાસકાંઠા જિલ્લાના યુવાન પ્રવીણભાઈ માળીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
100થી વધુ ખેડૂતોના ખેતરમાં ખેત તલાવડી
પ્રવિણભાઈ માળીએ સરકાર પાસે સહાય માંગવાને બદલે આત્મનિર્ભર બની ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી બારેમાસ ખેતી થઈ શકે તે રીતનું આયોજન કર્યું છે. ખેતરમાં જ મોટી પાકી ખેત તલાવડી બનાવાનું અભિયાન હાથ ધર્યું છે.પ્રવીણભાઈ માળી ગામેગામ ફરીને ખેડૂતો સાથે બેઠક કરીને ખેડૂતોને ખેત તલાવડી બનાવવા સમજાવી રહ્યા છે..આજે તેમના આ પ્રયાસથી બનાસકાંઠાના 130 જેટલા ખેડૂતો પોતાના ખેતરમાં ખેતતલાવડી બનાવી છે.
દરેક સિઝનમાં વિવિધ પાકનું ઉત્પાદન
આ ખેત તલાવડી થી ખેડૂતોને બાર મહિના સુધી ખેતી કરવા માટેનું પાણી સંગ્રહ થઇ રહ્યો છે બે ઇંચ વરસાદ માં એક ખેત તલાવડી માં 60 થી 70 લાખ લિટર પાણીનો સંગ્રહ થાય છે અને આ પાણીથી ખેડૂત આરામથી પોતાના ખેતરમાં 12 મહિના સુધી 15 વીઘા જેટલી જમીનમાં ખેતી કરી શકે છે ખેડૂતોનું કહેવું છે કે તેમને તેના ખેતરમાં તલાવડી બનાવી છે તેને તેઓ ફક્ત પહેલા જ વરસાદમાં કેટલીક બે ઇંચ જેટલો વરસાદ થાય છે વરસાદમાં આખી ખેત તલાવડી સંપૂર્ણ ભરાઇ જાય છે
આત્મનિર્ભર બન્યા ખેડૂતો
બનાસકાંઠા જિલ્લામાં પહેલા પાણીના અભાવે ખેડૂતો પોતાની જમીનમાં પૂરતું વાવેતર કરતા નહતા પરંતુ હવે આ ખેત તલાવડીના કારણે તેવો પૂરતી જમીનમાં વાવેતર કરી રહ્યા છે. તેમને સિંચાઈના પાણીની કોઈ જ તકલીફ ન હોવાથી તેમની ખેતીની આવક પણ ડબલ થઈ ગઈ છે અને વરસાદી પાણી તેમની ખેત તલાવડીમાં ભરાતું હોવાથી તેમની જમીનનું ધોવાણ પણ થતું નથી અને તેમને પાણી માટે પણ વલખાં મારવા પડતાં નથી. આપને જણાવી દઈએ કે, ખેડૂતોએ બનાવેલી ખેત તલાવડી હવે અહીના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ત્રણેય સિઝનમાં ખેતી કરી શકશે
ચાલુ ચાલે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થયો છે જેના કારણે તમામ ખેતર તલાવડી હાલ ભરાઈ ચૂકી છે ખેત તલાવડીઓ ભરાતા ખેડૂતોમાં ખુશીનો પાર નથી અહીં બનાવેલી એ તલાવડી હવે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે ખેત તલાવડીઓમાં જેટલું પાણી ભરાયું છે તે પાણી હવે બારે મહિના ચાલી જશે જેના કારણે ખેડૂતો અને હવે જે ફક્ત ચોમાસાની જ સિઝન લઈ શકતા હતા તે ખેડૂત હવે ત્રણેય સિઝનમાં પોતાની ખેતરમાં ખેતી કરીને ઉપજ મેળવી શકશે હે તલાવડી ના મદદ થી ચાલુ ચાલે કરોડો લીટર પાણીનો બગાડ થતો બચ્યો છે અને આ પાણીનો હવે ખેતીમાં સારી રીતે ઉપયોગ થઈ શકશે આ ડીસાના ઘણા બધા ગામડાઓમાં ખેત તલાવડીઓ બનાવી છે જેમ જેમ લોકો જાગૃત થતા જાય છે તેમ તેમ તેઓ પણ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવાનું વિચારી રહ્યા છે
સરકાર દ્વારા અપાય છે સબસિડી
તેમના આ કાર્ય જોઈને સરકાર પણ હવે તેમની મદદ આવી છે અને ખેડૂતોને જે ખેત તલાવડી બનાવવામાં મદદ પણ કરી રહી છે એ તલાવડી બનાવવામાં મનરેગા યોજના હેઠળ અમલી કરતા ખેડૂતોને હવે તલાવડી ઊંડી કરવામાં પણ મોટો ફાયદો થઈ રહ્યો છે સાથે સાથે તલાવડીમાં વપરાતા તાડપત્રીમાં પણ સબસીડી આપતા ખેડૂતોને ખેતર તલાવડી બનાવી હવે સસ્તી થઈ છે.