છત્તીસગઢમાં અનાજનાં મુદ્દે કોંગ્રેસનાં ખેડૂતો અને વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે લગભગ ૧૭ લાખ જેટલા પત્ર લખીને રાજભવનને સોંપી દીધા છે. રાજભવન સુધી પત્ર પહોંચાડ્યા બાદ હવે કોંગ્રેસ આ પત્રોથી મુક્ત થઈ ગઈ છે. પરંતુ તે રાજભવન માટે માથાનો દુખાવો બની ગયાં છે. રાજભવન સચિવાલયને સમજ પડતી નથી કે આટલી મોટી સંખ્યામાં આવેલાં પત્રોનું શું કરવામાં આવે.
રાજભવન સચિવાલયનો એક મોટો વર્ગ આટલા મોટા પ્રમાણમાં પત્ર લેવાની વિરોધમાં
જ્યારે પત્રો અપાયા ત્યારે રાજભવનમાં રાજ્યપાલ કે સચિવ કોઈ જ નહોતું
મોટા પ્રમાણમાં પત્રો લેવા ન પડે તે માટે વિચારણા
રાજભવન સચિવાલયનો એક મોટો વર્ગ આટલા મોટા પ્રમાણમાં પત્ર લેવાની વિરોધમાં
આ જ કારણ છે કે હવે આ કેસમાં વડા પ્રધાન કાર્યાલય પાસે માર્ગદર્શન માંગવા વિચાર થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં પહોંચેલા પત્રો જોઈને રાજભવન ચિંતામાં છે. એક તો આટલી મોટી સંખ્યામાં આવેલા પત્રોને રાખવા ક્યાં અને બીજું તેનું શું કરવું? પત્રોનાં કારણે એક આખો રૂમ ભરાઈ ગયો છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર રાજભવન સચિવાલયનો એક મોટો વર્ગ આટલા મોટા પ્રમાણમાં પત્ર લેવાની વિરોધમાં છે. તેમનો મત છે કે આટલી મોટી સંખ્યામાં પત્ર ન લેવા જોઇએ.
પત્રોથી છેડો ફાડવા આ પ્રકારે વિચારણા થઈ રહી છે
કોંગ્રેસ નેતાઓએ જે સમયે આ પત્રો રાજભવનને સોંપ્યા તે સમયે રાજભવનમાં ન તો રાજ્યપાલ અનસૂયા ઉડકે હતાં કે ન તો સચિવ. રાજભવનની આ ઘટના બાદ એવા ઉપાય પણ વિચારવામાં આવી રહ્યા છે કે ફરી વખત આવું ન થાય. જો આમ થશે તો કાલે કોઈ પણ આવીને આવા લાખો પત્ર સોંપી જશે. આ સંજોગોમાં રાજભવન પોસ્ટઓફિસ બનીને રહી જશે. રાજભવન સચિવાલય અનુસાર રાષ્ટ્રપતિ, વડા પ્રધાન કે કેન્દ્ર સરકારના નામે પત્રો લઈ શકાય, પરંતુ તે થોડાક પેજના હોવા જોઇએ, આટલી મોટી સંખ્યામાં નહીં.