ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ખેડૂતો હવે વધુ આકરા પાણીએ છે . આંદોલિત સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન મામલો ગરમાયો
18 ફેબ્રુઆરીએ કરશે રેલ રોકો આંદોલન
સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં લેવાયો નિર્ણય
દેશભરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી અને ચક્કા જામ બાદ સંયુક્ત મોરચાએ હવે 18 ફેબ્રુઆરીએ બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી રેલ્વે રોકો અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય બાદ સરકાર માટે ઘણી મુશ્કેલી પડી શકે છે.
ખેડૂતો ઘડી રણનીતિ
આ ઉપરાંત સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે. 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ માર્ગો પર ટોલ પ્લાઝા ટોલ ફ્રી કરવામાં આવશે.
જાણો અન્ય કાર્યક્રમ
આ સિવાય 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાનને યાદ કરવામાં આવશે. તેના માટે દેશભરમાં કેન્ડલ માર્ચમાં મશાલ સરઘસ તથા અન્ય કાર્યક્રમો પણ યોજાશે. સંયુક્ત મોરચાએ 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતનો મસીહા સર છોટુ રામજીની જયંતી પર દેશભરમાં ખેડૂત એકજૂટતા દેખાડવાનો નિર્ણય કર્યો છે.
રાકેશ ટિકૈતે હવે ભાજપ પર કર્યા પ્રહાર
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હવે ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે, તેમણે કહ્યું છે કે ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી, તેમણે માત્ર છળકપટ કર્યું છે, લોકોની ભાવનાઓ ભડકાવી, વોટ લીધા અને ગાદી પર બેસી ગયા.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પક્ષ પર સીધો પ્રહાર કર્યો હતો, તેમણે કહ્યું હતું કે ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી અને માત્ર લોકોની ભાવનાઓ ભડકાવીને વોટ મેળવીને દેશની ગાદીએ બેસી ગયા છે. જયારે રિપોર્ટરે કહ્યું કે 26 જાન્યુઆરી પછી તમારું આંદોલન થોડું બદલાઈ ગયું છે, દીપ સિદ્ધુનું નામ આવ્યું, તેના લીધે તમારા આંદોલનનું નામ ખરાબ થઇ ગયું છે.
સરકાર આ મુદ્દાનો નિકાલ કરવા નથી માંગતી : ખેડૂત નેતા
આ પ્રશ્નના જવાબમાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર આ મુદ્દાનો નિકાલ કરવા નથી માંગતી અને તેથી તે તેને ભટકાવવા માંગે છે. દીપ સિદ્ધુનો પાકની કિંમતો સાથે કોઈ પણ સંબંધ નથી, અને તે અમારા માટે કોઈ મુદ્દો નથી, આ કોઈ હારજીતનો સવાલ પણ નથી કે લાલ કિલ્લા પર કબ્જો થઇ ગયો, મહત્વનું એ છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચે, અને એમએસપી પર કાયદો બનાવે.
ટિકૈતે વધુમાં કહ્યું હતું કે જે લોકોએ ઉત્પાત મચાવ્યો હતો તે આજે જેલના સળિયા પાછળ છે, અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે એમએસપી પર કાયદો બની જાય, કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે, અને ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસ રદ્દ કરવામાં આવે. રિપોર્ટરના સવાલ પર કે શું તમને લાગે છે કે આ આંદોલનમાં કોઈ દેશવિરોધી તત્વો આવ્યા છે કે કેમ, ટિકૈતે જણાવ્યું હતું કે આ આંદોલનનો સંબંધ માત્ર કૃષિ સાથે છે, અને સરકાર તેના અન્ય જગ્યાએ તાર શોધી રહી છે, અમને ન તો એ લાઈન પર જવું છે અને ન તો કોઈ લેવાદેવા છે.
સરકારે શાહીનબાગ વાળા સાથે જે કર્યું તે જ ખેડૂતો સાથે કરી રહી છે : રાકેશ ટિકૈત
ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવવાની કોશિશ કરી રહી છે, આ પ્રકારની રાજનીતિ સરકારે ખેડૂતો સાથે ન કરવી જોઈએ, સરકાર આ આંદોલનને શાહીન બાગ ન સમજે તો જ સારું, સરકારે જે શાહીનબાગ વાળા લોકો સાથે કર્યું તેવુ જ તે ખેડૂતોની સાથે કરવાનો પ્રયત્ન કરી રહી છે.
ભાજપ પર નિશાન સાધતાં ટિકૈતે કહ્યું કે જ્યારે અડવાણી અને જોશી અયોધ્યામાં હતા ત્યારે ભીડને કેમ નિયંત્રિત ન કરી શક્યા? કોઈ પણ બેરીકેડ ભીડને નથી રોકી શકતા, પીએમ મોદીએ અમને આંદોલનજીવી કહીને સારું કર્યું છે, ગાંધીજી અને ભગતસિંહ પણ આંદોલનજીવી હતા, પબ્લિકમાં તો મેસેજ ગયો કે જે આંદોલન કરશે તે આંદોલનજીવી છે.
PM મોદીએ ટેબલ પર બેસીને ચર્ચા કરવાની કરી છે ઓફર
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ખેડૂતો અફવાનો શિકાર થયાં છે તો વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સભ્યોએ વધુ હોબાળો મચાવ્યો છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતોના પવિત્ર આંદોલનને બરબાદ કરવા માટેનું કામ આંદોલનકારીઓ નહીં આંદોલનજીવીઓએ કર્યું છે. માટે દેશને આંદોલનકારીઓ અને આંદોલનજીવીઓ વચ્ચે ફરક કરવો જરૂરી છે. જો તે, તેમણે પોતાની વાતચીત દરમિયાન આંદોલન કરી રહેલા ખેડૂતોને જણાવ્યું હતું કે, આવો ટેબલ પર બેસીને વાત કરીએ