આગામી 29 નવેમ્બરે ખેડૂતો 1000 ટ્રેકટર સાથે સંસદ ભવન ખાતે જવાના છે. જેમા તેઓ ગાઝીપુર અને ટીકરી બોર્ડરથી નીકળશે અને જો રસ્તા તેમને રોકવામાં આવ્યા તો તેઓ ત્યાજ બેસી જશે.
29 નવેમ્બરે ખેડૂતો સંસદ ભવન કૂચ કરશે
ગાઝીપુર અને ટીકરી બોર્ડરથી રવાના થશે
કુલ 1000 ટ્રેકટરો સાથે પહોચશે સંસદ ભવન
છેલ્લા એક વર્ષથી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હને કેઓ દિલ્હીના સંસદ ભવન પાસે કૂચ કરવા જઈ રહ્યા છે. આગામી 29 નવેમ્બરે ખેડૂતો 1000 ટ્રેકટર સાથે ગાજીપુર બોર્ડર અને ટીકરીવ બોર્ડરથી સંસદ ભવન જઈને કુચ કરવાના છે. સંયુક્ત મોર્ચા દ્વારા 9 સદસ્યોની કમિટી બનાવામાં આવી જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટિકરી અને ગાઝીપુર બોર્ડરથી 1000 ટ્રેકટર સાથે નીકળશે
આજે સોનીપતની કંડલી બોર્ડર પાસે જે બેઠક મળી હતી તે બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 નવેમ્બરે ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સંખ્યા પણ વધારવામાં આવશે. બાદમાં 29 નવેમ્બરે ટિકરી અને ગાઝીપુર બોર્ડરથી 500-500 ટ્રેકટર સાથે ખેડૂતો સંસદ તરફ કૂચ કરશે.
જો રસ્તામાં ખેડૂતોને રોક્યા તો ત્યાજ બેસી જશે
આ બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જો ખેડૂતોને રસ્તામાં રોકવામાં આવ્યા તો તેઓ ત્યાજ બેસી જશે. સમગ્ર મામલે ખેડૂત નેતા જગજીત સિંહ દ્વારા માહિતી આપવામાં આવી જો રસ્તામાં ખેડૂતોને રોકવામાં આવશે તો તેઓ ત્યાજ બેસી જવાના છે. તો બીજી તરફ ખેડૂત નેતા ગુરનામ સિંહ આ બેઠકમાંથી નારાજ થઈને નિકળી ગયા હતા અને તેમણે મીડિયા સાથે પણ કોઈ વાત ન કરી.
છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે આંદોલન
ઉલ્લેખનીય છે કે ખેડૂતો કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં કેટલીય વખત મહા પંચાયતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ ટ્રેકટર પરેડ કાઢી હતી ત્યારે ભારે હિંસા થઈ હતી. ત્યારે હવે તો ખેડૂતો ફરી સંસદ ભવન ખાતે ટ્રેકટરો સાથે પહોચી રહ્યા છે.