2019ના બજેટમાં નાના ખેડૂતોને આર્થિક સહાયતા આપવા માટે સરકારે પ્રધાનમંત્રી સન્માન ફંડ (PM-ખેડૂત) યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને વર્ષના રૂ.6000 આપવામાં આવશે. આ રકમ ખેડૂતોના ખાતામાં ત્રણ ભાગમાં જમા કરવામાં આવશે.
સરકારના જણાવ્યા મુજબ સહાયની રકમની માર્ચ 2019ના પ્રથમ અઠવાડીયામાં ખેડૂતો સુધી પહોંચી જશે. જેમાં લાભાર્થીઓએ આ રકમ મેળવવા કેટલાક ડૉક્યુમેન્ટસની જરૂર પડશે.
બેંક એકાઉન્ટ નંબર મોબાઇલ નંબર:
કેન્દ્ર સરકારના વહીવટી મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને મોકલેલા પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ગામોમાં નાના ખેડૂતોનું લિસ્ટ તૈયાર કરે. આવા ખેડૂતોની વિગતો રાજ્યોમાંથી રાખવી જોઈએ જેમાં નામ મહિલા અથવા પુરુષના નામ એસસી-એસટી બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત આધારકાર્ડ પણ નંબર પણ આપવાના રહેશે.
આ ડૉક્યુમેન્ટસની પણ પડશે જરૂર:
આ યોજનાનો લાભ લેવા માટે આધાર નંબર જરૂરી રહેશે. જો આધાર નંબર ઉપલબ્ધ ન હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ મતદાર ઓળખપત્ર નરેગા રોજગાર કાર્ડ અથવા કેન્દ્ર અથવા રાજ્ય જેવા અન્ય વૈકલ્પિક દસ્તાવેજો જરૂરી છે. તમને જણાવી દઇએ કે સરકારની આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને ચુકવણી માટે રૂ. 20 000 કરોડની જોગવાઈ કરી છે.