આવતી કાલના દેશભરના ચક્કાજામના એલાનને લઇને રાકેશ ટીકૈતે ફરી ઉપદ્રવ ન થાય તે માટે સંદેશ આપ્યો છે.
કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રિય પ્રવક્તા રાશે ટિકૈતે કહ્યું કે 6 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચક્કાજામ દિલ્હીમાં થશે નહીં.
રાકેશ ટિકૈતે સમર્થકોને અપીલ કરી છે કે જે લોકો અહીં આવી શક્યા નથી તેઓ પોત-પોતની જગ્યા પર ચક્કાજામ શાંતિપૂર્ણ રીતે કરશે.
जो लोग यहां नहीं आ पाए वो अपने-अपने जगहों पर कल चक्का जाम शांतिपूर्ण तरीके से करेंगे। ये जाम दिल्ली में नहीं होगा: राकेश टिकैत, भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता pic.twitter.com/ENXDH0pWs4
નવા કૃષિ કાયદાને પરત લેવા અને MSP પર કાયદો બનાવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં આંદોલન થશે. આ સાથે જ બપોરે 12 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી રોડને બ્લોક પણ કરશે.
ખેડૂત સંગઠનોએ ચક્કા જામ કરવાનું આ એલાન બજેટમાં ખેડૂતોને 'નજરઅંદાજ' કરવા માટે, અલગ-અલગ જગ્યાઓ પર ઇન્ટરનેટ બંધ કરવા સહિત અન્ય મુદ્દાઓના વિરોધમાં કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સિંધુ, ગાજીપુર સહિત દિલ્હીમાં કેટલીક સરહદ પર હજારોની સંખ્યામાં ખેડૂત નવેમ્બરથી આંદોલન કરી રહ્યાં છે. 26 જાન્યુઆરીના રોજ યોજાયેલ ટ્રેકટર પરેડમાં હિંસા પછી આંદોલન કરી રહેલા ખેડૂતોની સંખ્યામાં ગત દિવસોમાં ઘટાડો થયો હતો, પરંતુ ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતના ભાવુક થયા બાદ ફરી આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું સમર્થન મળવા લાગ્યું.