ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાન સમ્માન નિધિ યોજનામાં ખેડૂતોને ફાયદો થાય તેવી સંભાવના છે.
PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે ખુશખબર છે. આ લોકોના ખાતામાં બહુ જલ્દી 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા જમા થાય તેવી સંભાવના છે. તો જાણી લો કઈ રીતે મળી શકે છે આ ફાયદો!
PM કિસાન સમ્માન નિધિ યોજનાહેઠળ ડબલ થશે પૈસા
હાલમાં PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. જે આગામી સમયમાં 12000 રૂપિયા વાર્ષિક થઇ જાય તેવી સંભાવના છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીની મુલાકાત
મીડિયા રીપોર્ટસ અનુસાર બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે હાલમાં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત લીધી હતી. જેમાં પ્રધાન મંત્રી કિસન સમ્માન નિધિ યોજના હેઠળ મળનાર રાશી ડબલ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ મામલે હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
કઈ રીતે આવે છે પૈસા?
PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં દરેક હપ્તામાં 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે. દર ચાર મહિને એક હપ્તો આવે છે જેમાં PM કિસાન પોર્ટલ હેઠલ સ્કીમનો પહેલો હપ્તો 1 ડિસેમ્બર થી 31 માર્ચ દરમિયાન આવી જાય છે. બીજો હપ્તો 31 એપ્રિલથી જુલાઇ વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટ થી 30 નવેમ્બર દરમિયાન ત્રીજો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે.
2019 માં શરૂ થઈ હતી યોજના
મોદી સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી 2019 માં PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને કૂલ 12000 રૂપિયા નજીકના સમયમાં મળે તેવી સંભાવના છે.