મોદી સરકાર પીએમ કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોને હવે પહેલા કરતા બમણો ફાયદો આપશે. જેમા સરકાર દ્વારા હવે ખેડૂતોને 6 ની બદલે 12 હજાર આપવામાં આવશે.
સરકાર દ્વારા 6 હજારની બદલે હવે 12 હજાર આપવામાં આવશે
2022માં દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી ચૂંટણીઓ યોજાય તે પહેલા મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. એવી માહિતી સામે આવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે ગણી રકમ સરકાર દ્વારા આપવામાં આવશે. જેથી ખેડૂતોને હવે 6 હજારની બદલે 12 હજાર રૂપિયા મળશે.
ખેડૂતોને મળશે બમણી રકમ
હાલ ખેડૂતોને કુલ 3 હપ્તામાં 2 2 હજાર કરીને વર્ષે સરકાર દ્વારા 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને નાણામંત્રી નિર્મલા સિતારમણ વચ્ચે થોડાક દિવસો પહેલા બેઠક થઈ હતી. જે બેઠકમાં ખેડૂતોને બમણી રકમ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે હાલ આ મુદ્દે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો.
નોડલ ઓફિસર દ્વારા પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે
કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર મહિને 2 હજાર રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ ખેડૂતો સીએસી એટલે કે કોમન સર્વિસ સેંન્ટરના માધ્યમથી લઈ શકે છે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેસ નોડલ ઓફિસર દ્વારા પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
વેબસાઈટ પર જઈને નામ ચેક કરી શકાશે
રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂકો pmkisan.gov.inની વેબસાઈટ પર જઈને તેમનું નામ ચેક કરી શકે છે. જ્યા તેમને લાભાર્થીઓનું લીસ્ટ જોવા મળશે. તેમા પોતાનું નામ શોધીને તમારા હપ્તાનું સ્ટેટસ તમે જાણી શકશો. જોકે ઘણી વખત ખાતામાં રૂપિયા આવતા મોડું થતું હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો જિલ્લા કૃષિ ઓફિસરનો સંપર્ક સાંધી શકે છે.
આ રીતે જાણી શકો છો તમારા હપ્તાનું સ્ટેટસ
વેબસાઈટ પર પહોંચ્યા બાદ જમણી બાજુએ ફોર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી બેનફિશિયરી સ્ટેટસ ઓપ્શન પસંદ કરો. એક નવું પેજ ખુલે. હવે અહીં આધાર નંબર અને મોબાઈલ નંબર નાંથો, આ પછી તમારા સ્ટેટસની જાણકારી મળી જશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના માટે તમે ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માટે તમારી પાસે તમારા ખેતરની માલિકી, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ માટે તમે પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ pmkisan.nic.in પર રજિસ્ટ્રેશન કરી શકો છો.