પંચમહાલ જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં આધુનિક પદ્ધત્તિ સાથે ગુલાબની ખેતી થાય છે. અને ખેડૂતો ગુલાબની ખેતી કરીને પગભર પણ થયા છે.પરંતુ હાલની સ્થિતિએ બજારમાં ફુલોના ભાવ તળિયે.
પ્રેમના પ્રતીકસમા ગુલાબની અવદશા
ફૂલના ભાવ તળિયે જતા વેપારીઓ વ્યથિત
ખુશબોદાર ખેતીમાં ભાવની બદબૂ
પ્રેમ અને પૂજાનું પ્રતિક એટલે કે,ગુલાબનું ફૂલ. અને આ ફૂલની બારેમાસ માગ રહે છે.. પરંતુ હાલના સયમાં આ ફૂલનું ઉત્પાદન કરતા ખેડૂતોનો રડવાનો વારો આવ્યો છે.. કારણ કે, ફૂલોની ખેતી કરતા ખેડૂતો પણ હવે ભાવ ન મળતા નુકસાની વેઠી રહ્યા છે.પરંતુ કેવા પ્રકારની નુકસાની તો આવો જોઈએ આ રિપોર્ટમાં...
ગુલાબ પ્રેમનું પ્રતિક છે.અને તે પ્રેમ પછી ભગવાન પ્રત્યેનો હોય કે માણસ પ્રત્યેનો. ગુલાબ એક એવી વસ્તુ છે જેની બારે માસ માગ રહે છે.અને ગુલાબના ફૂલની ખેતી કરતા ખેડૂતો ખુબ સારી આવક પણ મેળવે છે. આપણે ત્યાં પંચમહાલ જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં આધુનિક પદ્ધત્તિ સાથે ગુલાબની ખેતી થાય છે. અને અહીંના ખેડૂતો ગુલાબની ખેતી કરીને પગભર પણ થયા છે પરંતુ હાલની સ્થિતિએ બજારમાં ફુલોના ભાવ તળિયે જતા ખેડૂતોએ રડવાના દિવસો આવ્યા છે..
હાલના સમયમાં સ્થિતિ એવી બની છે કે, ખેડૂતો જેટલો ખર્ચ કરી રહ્યા છે. તેટલું પણ ઉત્પાદન નથી મળી રહ્યું. પાણીની બોટલના ભાવે ફુલો પણ વેચાઈ રહ્યા છે. ગુલાબના ફૂલના ભાવ અંગે વાત કરીએ તો. સામાન્ય રીતે બજારમાં ગુલાબના ફૂલનો ભાવ પ્રતિકિલો 70 થી 80 રૂપિયા જેટલો રહેતો હોય છે. અને તહેવારોના દિવસોમાં પ્રતિકિલોનો ભાવ 400થી 500 રૂપિયા સુધી પહોંચી જાય છે. હાલમાં પ્રતિકિલો ગુલાબના ફૂલનો ભાવ 10 થી 20 રૂપિયા થઈ ગયો છે. એટલે કે, પાણીના ભાવે ગુલાબ મળી રહ્યા છે. સ્થિતિ એવી બની છે કે, બજારમાં ફૂલ વેચવા જવાનો ખર્ચો પણ પોસાઈ તેમ નથી. તેવામાં ખેડૂતોને ફૂલને નદી અને કેનાલમાં ફેંકાઈ રહ્યા છે.અને કેટલાકે તો પશુઓને ખવડાવી દીધા છે.
પંચમહાલ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલી એ છે કે, તેમને ફૂલ વેચવા માટે વડોદરા જવું પડે છે.અને ત્યાં પણ વચેટીયાઓ દ્વારા દલાલી ઉઘરાવાય છે. ત્યારે આ પ્રથા બંધ કરીને ફૂલોને પણ APMCમાં સ્થાન આપી પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોની માગ છે.. આશા રાખીએ કે, આ દીશામાં પણ સરકાર વિચારણા કરશે..