સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો ખુલ્લો કરતા જોવા મળ્યાં હતા.
સુપ્રીમના આદેશની અસર, ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર ખાલી કરવાનું કર્યું શરુ
નેશનલ હાઈવે-24 ની સર્વિસ લેન પરથી ખેડૂતોએ તંબૂ હટાવ્યાં
ખુદ રાકેશ ટીકૈત બેરિકેડ્સ હટાવવા લાગ્યા
ટીકેતે કહ્યું હવે દિલ્હી જઈશુ, સંસદ બહાર ધરણા કરીશું
હવે અમે દિલ્હી જઈશું, સંસદ બહાર ધરણા કરીશું.
રસ્તો ખુલ્લો કરવાના કામમાં લાગેલા રાકેશ ટીકૈતે જણાવ્યું કે ખેડૂતો હવે દિલ્હી જશે અને સંસદની બહાર ધરણા કરશે. ખેડૂત આંદોલનને પગલે દિલ્હી તરફના તમામ રસ્તાઓ જામ થયા બાદ સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી.
સુપ્રીમના ટકોરા બાદ ખેડૂતોએ રસ્તા પરથી તેમના તંબૂ ઉખાડવાનું શરુ કરી દીધું છે. જોકે ટીકૈતે કહ્યું કે અમે કોઈ રસ્તો રોક્યો નથી. પોલીસે બેરેકેડિંગ કરીને રસ્તો રોક્યો હતો. અમે લોકો દિલ્હી કૂચ કરી રહ્યાં છીએ તેથી પોલીસ બેરેકેટિંગ્સ હટાવી રહી છે.
તંબુ ઉખાડાયા
રાકેશ ટીકૈતે તેમના સમર્થકો સાથે ગાઝીપુર બોર્ડરે તંબુઓ ઉખાડવાનું શરુ કર્યું હતું. તેમણે રસ્તા પરના અવરોધો હટાવવાનું શરુ કર્યું છે. ટીકૈતે કહ્યું કે રસ્તો અમે રોક્યો નથી. પોલીસે અવરોધો લગાવ્યા છે.
રાકેશ ટીકૈતે કહ્યું અમે રસ્તો રોક્યો નથી
રાકેશ ટીકૈતે કહ્યું કે રસ્તો કોણે રોક્યો છે. રસ્તો અમે રોકી રાખ્યો નથી અને દિલ્હી જવાના છીએ.
ખેડૂત સંગઠનોનું શું કહેવું છે
BKU ના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલીકે જણાવ્યું કે ઘણા સમયથી અફવા ફેલાવાઈ રહી છે કે ગાઝીપુર બોર્ડર ખાલી કરાવાઈ રહી છે, આ ખબર ખોટી છે. તેમે કહ્યું કે અમે દેખાડી રહ્યાં છીએ કે રસ્તો ખેડૂતોએ નહીં દિલ્હી પોલીસે રોકી રાક્યો છે. ગાઝીપુર બોર્ડર પર આંદોલન ચાલુ રહેશે.