ચુંટણી ટાણે ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજના શરુ કરી પરંતુ હાલમાં આ યોજનાનું સુરસુરિયુ થઈ ગયુ છે.આમ સિઝન ટાણે જ લાઈટ ન મળતા ખેડુતો માં રોષ જોવા મળ્યો છે.
સરકારે કિસાન સૂર્યોદય યોજના બંધ કરતાં વિરોધનો વંટોળ શરૂ
સિઝન ટાણે વીજળી ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ
ખેડૂતોની માંગ કિસાન સૂર્યોદય યોજના ફરી શરૂ કરવામાં આવે
રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના બંધ કરતાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. સિઝનમાં જ લાઈટ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે રાજ્ય સરકારે વિવિધ પ્રકારની યોજનાઓ લોન્ચ કરી હતી. તેમાની એક કિસાન સૂર્યોદય યોજના હતી. ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી મળી રહે તે ઉદ્દેશ સાથે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી.
સિઝન ટાણે વીજળી ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ
પરંતુ યોજના શરૂ કર્યાના ગણતરીના જ દિવસોમાં આ યોજનાનું સૂરસુરિયું થઈ ગયું હોવાનો ભારતીય કિસાનસંઘ દ્વારા કરવામાં આવ્યો છે.તલોદમાં દિવસે પણ પૂરતી વીજળી ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. હાલમાં બટાકા અને ઘઉની સિઝન ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને હાલમાં દિવસની વિજળીની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતી હોવાથી ખેડૂતો જનરેટરનો ઉપયોગ કરીને બટાકાનું ગ્રેડીંગ કરી રહ્યા છે.
ખેડૂતોની માંગ કિસાન સૂર્યોદય યોજના ફરી શરૂ કરવામાં આવે
આ મામલે ભારતીય કિસાનસંઘ તલોદ દ્વારા ગાંધીનગર, સાબરકાંઠા કલેક્ટર કચેરી, UGCVLની કચેરી અને મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાથે જ મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આથી તાત્કાલિક ધોરણે કિસાન સૂર્યોદય યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સરકાર પરિવર્તન માટે તૈયાર રહે તેવી ચીમકી ભારતીય કિસાનસંઘ તલોદ દ્વારા આપવામાં આવી છે.