ગણતંત્ર દિવસ પર 26 જાન્યુઆરીના રોજ પ્રસ્તાવિત ખેડૂતોની પરેડ સાથેની જોડાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા ગુરુવારના રોજ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની ટિકરી બોર્ડર પહોંચ્યાં હતા. આ અવસર પર તેઓએ આંદોલનકારી ખેડૂતો સાથે મુલાકાત કરી અને કિસાન પરેડ અંગે આવશ્યક નિર્દેશ પણ આપ્યાં.
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ તૈયારીઓની સમીક્ષા કરી
પરેડની મંજૂરી ન મળે તો ખેડૂત તોડી નાંખશે પોલીસ બેરીકેડ
આ સાથે દાવો કરવામાં આવ્યો કે ખેડૂતોની શાંતિપૂર્ણ પરેડ જરુરથી નિકળશે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે પોલીસે મંજૂરી ન આપી તો ખેડૂતો બેરીકેડ તોડી શકે છે.
ગુરનામ સિંહએ કહ્યું કે ગણતંત્ર દિવસના અવસર પર આઉટર રિંગ રોડ પર જ પરેડ નિકાળવામાં આશે. આ પરેડ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે નીકળશે, પરંતુ જો રસ્તો નહી મળે તો બેરિકેડ પણ તોડવા પડી શકે છે.
ગુરનામ સિંહે કહ્યું કે 26 જાન્યુઆરી પર રિંગ રોડ પર પરેડની સાથે પ્રદર્શન પણ કરશે એવામાં સરકારને વિનંતી છે કે અધિકાર અને ટ્રકેટર પરેડની મંજૂરી આપવામાં આવે. ગુરનામ સિંહે કહ્યું કે આ અંગે દિલ્હી પોલીસ સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. પોલીસ ખેડૂતોને દિલ્હીમાં દાખલ થવા દેવા ઇચ્છતી નથી, પરંતુ ખેડૂત આઉટર રિંગ રોડ પર શાંતિપૂર્ણ રીતે રેલી નિકાળશે.
પરેડ માટે બોર્ડર પર પહોંચી રહ્યાં છે ટ્રેકટર
26 જાન્યુઆરીએ યોજાનારી પરેડ માટે ટિકરી બોર્ડર પર પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી ટ્રેકટરો પહોંચવા લાગ્યા છે. ગુરુવારના રોજ મોટી સંખ્યામાં ખેડૂત ટ્રેકટર લઇને પહોંચ્યાં. ટિકરી બોર્ડર પર મીડિયા સેલ સાથે જાડેયાલા અંકુરે જણાવ્યું કે ગણતંત્ર દિવસને લઇને ગત દિવસોથી જ ખેડૂત ટ્રેકટરો સાથે પહોંચવાના ચાલુ છે. કેટલાક આગામી 23 અને 24 જાન્યુઆરીના રોજ અલગ-અલગ પ્રાંતથી બોર્ડર પહોંચશે અને ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ આઉટર રિંગ રોડનું વલણ કરશે.
પરેડ માટે ટ્રેકટરો માટે કરવામાં આવી રહ્યાં છે તૈયાર
પરેડ માટે ટીકરી બોર્ડર પર ટ્રેકટરોને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ટ્રેકટરો સાથે ઝંડા તેમજ પોસ્ટરથી શણગારવાની સાથે તેના પર આંદોલનને લઇને પંક્તિઓ પણ લખવામાં આવી રહી છે. એક ખેડૂત સુરજિત સિંહેના જણાવ્યાં અનુસાર તેઓએ ટ્રેકટર ની સાથે તેલ-પાણીની વ્યવસ્થા કરી છે. આ સાથે વધારાના ડિઝલ પણ ભરવામાં આવ્યું છે. જ્યારે એક અન્ય ખેડૂતના જણાવ્યા અનુસાર દેશભક્તિના ગીતની વ્યવસ્થા કરાઇ છે જેને ગણતંત્ર દિવસના અવસર પર સંભળાવામાં આવશે.
પ્રત્યેક 100 મીટર પર એખ વોલંટિયર હશે
ગણતંત્ર દિવસની તૈયારીઓને લઇને અલગ-અલગ રણનીતિ બનાવામાં આવી રહી છે. જેના હેઠળ પરેડ દરમિયાન પ્રત્યેક 100 મીટર પર એક વોલિંટિયર તૈનાત કરવામાં આશે. જ્યારે અંદાજે 1,000 વોલિંટિયર પરેડની કમાન સંભાળશે.