યાદવે કહ્યું કે 12 તારીખે ખેડૂતો અને પત્રકારો, જેઓ શહીદ થયા છે તેમના માટે અમે લખીમપુરના તિકુનિયામાં અંતિમ અરદાસ કરીશું. દેશભરમાં ખેડૂતો ત્યાં પહોંચશે. તેમણે કહ્યું કે લખીમપુરની ઘટના જલિયાવાલા બાગથી કમ નથી. યાદવે કહ્યું કે 12 તારીખે લખીમપુરથી ખેડૂતોની અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. 15 ઓક્ટોબરે દશેરા છે તમામ ખેડૂત પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના પૂતળાનું દહન કરશે. 18 ઓક્ટોબરે રેલ રોકવામાં આવશે. 26 તારીખના રોજ લખનઉમાં મોટી મહાપંચાયત કરવામાં આવશે.