યૂપી ગેટ પર શનિવારે સાંજે ખેડૂત સંગઠને પ્રેસ પરિષદમાં સરકારને ઉત્પીડન બંધ કરવા કહ્યું. આ સાથે ચેતવણી આપી કે જો ખેડૂતોને રોકવામાં આવશે કે તેમના પરિવારો પર કોઈ દબાણ કરાશે તો દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની તમામ 14 લેન બંધ કરી દેવાશે. ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું કે પોલીસ પ્રશાસન આંદોલનમાં આવનારા ખેડૂતોને અલગ અલગ જગ્યાઓએ રોકી રહ્યું છે. ટ્રેક્ટર અને ટ્રોલીઓ જપ્ત કરી રહ્યા છે.
આંદોલનના 25મા દિવસે ખેડૂતો લડી લેવાના મૂડમાં
દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની તમામ 14 લેન બંધ કરવાની ચેતવણી આપી
ખેડૂતોએ સરકારને ઉત્પીડન બંધ કરવા કહ્યું
આંદોલનમાં બેઠેલા ખેડૂતોની ગાડીઓના નંબરના આધારે પોલીસ તેમના ઘરે જઈને પરિવારને ખેડૂતોને પરત બોલાવવાનું દબાણ કરી રહી છે. સંગઠને ખેડૂતોના ઉત્પીડનના સમાધાન માટે મેરઠ કમિશ્નર અને પોલિસ અઘિકારીને રવિવારે સવારે આમંત્રિત કર્યા છે.
कृषि कानूनों के खिलाफ किसान प्रदर्शनकारी दिल्ली-यूपी बाॅर्डर पर डटे हुए हैं, प्रदर्शनकारी किसान कृषि कानूनों को वापस लेने की मांग कर रहे हैं। एक प्रदर्शनकारी ने बताया, "कानून खत्म कर दिए जाएं और हम दो घंटे में चले जाएंगे।" #FarmersProtestpic.twitter.com/sp2HqXKLfN
સાંજે 4 વાગે યૂપી ગેટ પર સરદાર વીએમ સિંગ, ભાકિયૂના નેતા રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈત, તેજેન્દ્ર સિંહ, બલરાજ ભાટી, ડીપી સિંહ અને ઓમપાલ ભાટીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. વીએમ સિંહે આરોપ લગાવ્યો કે શુક્રવારની રાતે અનેક ટ્રોલીઓમાં ખેડૂતો બેસીને ગાઝીપુર આંદોલનમાં આવી રહ્યા હતો તો પોલીસે તેમને રોક્યા અને પછી છોડ્યા. થોડા અંતરે ફરી પોલીસે તેમને પકડી લીધા. તેઓએ કહ્યું કે આ ચાલશે નહીં. સુપ્રીમ કોર્ટે ખેડૂતોના શાંતિપૂર્ણ ધરણાની વાત કરી છે. પણ પ્રશાસન તેમને હેરાન કરી રહ્યું છે.
ગાઝીપુરની બોર્ડર પર ઊભેલી ગાડીઓના નંબરના આધારે તેમના ઘરે જઈને દબાણ કરી રહી છે. એક ખેડૂતના પિતાને પોલીસ પકડીને લઈ ગઈ છે. પરિવાર પર ખેડૂતોને પરત બોલાવવાને લઈને દબાણ કરાઈ રહ્યું છે. ગૃહમંત્રીને કહીશ કે ખેડૂતોને રોકવાનું કામ ન કરો. તેમને રોકવા કે ડરાવવાનું કામ કરશો તો બમણા ખેડૂતો આંદોલનમાં જોડાશે અને પ્રશાસન તેને રોકી શકશે નહીં.
Tomorrow at 11 am there'll be a meeting with administration here over stopping the movement of tractors. If our demands are not fulfilled then both side of road will be blocked: Sardar VM Singh, All India Kisan Sangharsh Coordination Committee at Ghazipur border (Delhi-UP border) pic.twitter.com/1RK9wz8Dgv
રાકેશ ટિકૈતે કહ્યું કે અમારી લડાઈ યૂપી સરકાર કે ઉત્તરાખંડની સરકાર સાથે નથી. અમારી લડાઈ ભારત સરકાર સાથે છે. આ લડાઈ લાંબી ચાલશે. ખેડૂત તૈયૈારી કરી લે. મજબૂત રણનીતી તૈયાર કરાવની રહેશે. તેઓએ કહ્યું કે લાઈટ બિલ, એમએસપી પર ગેરેંટી કાયદો અને અનેક મુદ્દા છે તેની પર પણ વાત થશે. જ્યાં સુધી સરકાર માંગને નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.