બનાસકાંઠામાં દિવસેને દિવસે કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે ત્યારે ગામડાને લઇને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી બાજુ રીપેરીંગ કરવા માટે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ભાવ ખાતા ગામના ખેડૂતોએ ગામનું ભંડોળ એકત્રિત કરીને જાતે જ કેનાલનું કામ હાથ ધર્યું છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક બાજુ પાણીની ભયંકર તંગી છે ત્યારે બીજી બાજુ નર્મદા કેનાલ તો આવી છે પણ આ કેનાલમાં પાણી છોડવાની સાથે જ મસમોટા ગાબડા પડે છે. જેના કારણે ખેડૂતોના પાકમાં પાણી ફરીવળતા પાકને મોટું નુકસાન થાય છે તો બીજી બાજુ કેનાલોમાં પડેલા ગાબડાને રીપેર કરવા માટે અધિકારીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે પણ અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય છે.
ત્યારે રવિવારના દિવસે રાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં દસ ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું ગાબડું પડતા આજુબાજુના જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે ગાબડું પડ્યા પછી ખેડૂત અધિકારીઓને કોન્ટ્રાક્ટનો સંપર્ક સાધ્યો હતો.
અધિકારીઓ દ્વારા કોઈ જ જાતનો જવાબ ન આપતા આજે ખેડૂતોએ એક ખેડૂત દીઠ ૫૦૦ રૂપિયા ઉઘરાવીને ૬૦થી ૭૦ હજાર રૂપિયા ભેગા કરી સિમેન્ટ કપચી અને કાંકરી લાવીને ગામના ખેડૂતો જાતે જ મળીને રીપેરીંગ કરવા લાગ્યા હતા.
ખેડૂતોને વારંવાર આવી રીતે કેનાલોમાં ગાબડાં પડતાં હોય છે અને ખેતરમાં પાણી ફરી વળતા હોય છે. ત્યારે લાખોનું નુકશાન થતું હોય છે તો બીજી બાજુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે.
એક બાજુ કુદરત રુઠ્યો છે અને આ બાજુ વરસાદનું ટીપું પણ ના થતા ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે. તો બીજી બાજુ કેનાલોમાં પાણી તો છોડવામાં આવે છે પણ પાણી ખેડૂત સુધી પહોંચતાં પહેલાં જ ગાબડા પડવાના કારણે ખેતરોમાં વહી જાય છે અને મસમોટું નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે. કક્ષાની કેનાલોની ગુણવત્તાને કેનાલોના કેનાલોમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારના કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે તો ખેડૂતોને જ આવે છે જેના કારણે તેમને આવી પરિસ્થિતિનો વારો આવે છે.
ખેડૂતોનું કહેવું છે કે કેનાલોમાં સફાઈના અભાવે કેનાલ ભરાઈ જાય છે અને કેનાલોમાં ભરાવો થવાના કારણે કેનાલ વારંવાર તૂટે છે કેનાલો રીપેર અને કેનાલોમાં સાફ-સફાઈની કરોડ રૂપિયા ગ્રાન્ટ તો આવે છે પણ આ ગ્રાન્ટ બારોબાર અધીકારી મિલીભગતના કારણે ચાઉ થઈ જાય છે અને ખેડૂતોને મજબૂર થઈને પાણી લેવાની ગરજ હોવાના કારણે જાતેજ સાફ સફાઈ અને જાતેજ રીપેર કરવાનો વારો આવતો હોય છે.
હાલ તો અહીંના ખેડૂતો પોતાના પૈસે કેનાલો રીપેરીંગ કરતા જોવા મળી રહ્યા છે. એકબાજુ ખેડૂતો પાસે પૈસા નથી પણ બીજી બાજુ પોતાના ઉભા પાકને બચાવવા માટે ઉછીના કે વ્યાજે પૈસા લઈને આ કેનાલો રીપેરીંગ કરવા મજબૂર બન્યા છે.