ખેડૂત નેતાઓ એ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરી સુધીમાં, દિલ્હીમાં અમારા આંદોલનના બે મહિના પૂરા થશે. અમે આ નિર્ણાયક પગલા માટે પ્રજાસત્તાક દિવસની પસંદગી કરી કારણ કે આ દિવસ બહુમતી લોકો માટેનો છે, જે આ દેશના બહુમતી ખેડૂતોની સર્વોચ્ચ શક્તિ છે.
મોદી સરકારને ખેડૂતોનું અલ્ટિમેટમ
26મી જાન્યુઆરીએ પરેડ કાઢવાનું કર્યું આહ્વાન
6 થી 20 જાન્યુઆરી સુધી જાગૃત પખવાડિયાનું આયોજન
ખેડૂત આંદોલનનું સમન્વય કરી રહેલ 7 સભ્યોની સંકલન સમિતિએ શનિવારે દિલ્હીમાં પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી અને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, જો ખેડૂતોની માંગણીઓ પૂર્ણ ન કરવામાં આવે તો, 26 જાન્યુઆરીએ દિલ્હીની ભાગોળે બેઠેલા ખેડૂતો, ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનોની સાથે પ્રજાસત્તાક પરેડ કરશે. ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું કે પ્રજાસત્તાક દિનની સત્તાવાર પરેડ સમાપ્ત થયા બાદ આ પરેડ થશે. આ સાથે સંયુક્ત કિસાન મોરચા દ્વારા હવેથી 26 જાન્યુઆરી સુધી ઘણા સ્થાનિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં અમારા ઘેરાવાને પૂરા થશે બે મહિના : ખેડૂતો
ખેડૂત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરી સુધીમાં, દિલ્હીમાં અમારા ઘેરાવાને બે મહિના પૂરા થશે. અમે આ નિર્ણાયક પગલા માટે પ્રજાસત્તાક દિવસની પસંદગી કરી કારણ કે આ દિવસ બહુગણનાનું પ્રતીક છે, જે આપણા દેશના બહુમતી ખેડુતોની સર્વોચ્ચ શક્તિ છે. આ પ્રસંગે, સંયુક્ત કિસાન મોરચાએ હવેથી પ્રજાસત્તાક દિવસ સુધી આંદોલનને વધુ તીવ્ર બનાવવા અને વિસ્તૃત કરવા માટેના ઘણા કાર્યક્રમોની જાહેરાત કરી હતી. દેશભરમાં આ આંદોલનને વેગ આપવા 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન દેશ જાગૃત પખવાડિયાની ઉજવણી કરશે.
આ પખવાડિયામાં દેશના દરેક જિલ્લામાં ધરણા અને કૂચ યોજાશે. ખેડૂતો અને બાકીની જનતાને જાગૃત કરવા અનેક સ્થળોએ રેલીઓ અને પરિષદો યોજાશે. જો 4 જાન્યુઆરીએ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જાય તો 6 જાન્યુઆરીએ ખેડૂતો કેએમપી એક્સપ્રેસ વે પર કૂચ કરશે. તે પછી, શાહજહાંપુરમાં મોરચો મૂકનારા ખેડૂતો પણ દિલ્હી તરફ પ્રયાણ કરશે. 13 જાન્યુઆરીએ કિસાન સંકલ્પ દીવસ લોહરી / સંક્રાંતિ નિમિત્તે દેશભરમાં ઉજવાશે અને આ ત્રણેય કાયદાઓ પ્રગટાવવામાં આવશે.