ગાંધીનગરઃ ટેકાના ભાવે મગફળી વેચવા માટેની નોંધણીની કાર્યવાહી રજાના દિવસે પણ ચાલુ રહેશે. સરકારનો ટેકાના ભાવે મગફળી વેચતા ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય છે. રજા હોવા છતાં તારીખ 4 5 અને 6એ ઓનલાઈન નોંધણી ચાલુ રાખવામાં આવશે.
રજાના દિવસે ઓનલાઈન નોંધણી ચાલુ રખાતા ખેડૂતોને ફાયદો થશે. 4 તારીખે રવિવાર હોવા છતાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા યથાવત રહેશે. તારીખ 7થી 11 સુધી રજા બાદ 12 તારીખથી ફરી નોંધણી પ્રક્રિયા ચાલુ થશે. પુરવઠા વિભાગને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ આદેશ કર્યા છે.
રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે મગફળી વેચવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. ખેડૂતો વિરોધ કરી રહ્યાં નથી. રાજ્યભરના ખેડૂતોએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. મગફળી પકવતા મુખ્ય 2 રાજ્યોના સરેરાશ ભાવો જોવામાં આવે છે.
મહત્વનું છે કે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રમાં નોંધણી કરાવી શકાશે. નોંધણી સમયે 7/12 અને 8-અ નકલ જોડવાની રહેશે. 122 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. APMC ખાતે ખરીદ કેન્દ્રો ઉભા કરાશે. સરેરાશ ઉત્પાદકતાને આધારે નિયત ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરાશે.
જો કે ખરીદ પ્રક્રિયા CCTV કેમેરા ગોઠવવામાં આવશે. ખરીદ પ્રક્રિયાનું CCTV ફૂટેજ સંગ્રહીત રખાશે. ફ્લાઇન્ગ સ્કવોડ દ્વારા સમયાંતરે ચકાસણી હાથ ધરાશે. 26.95 લાખ મેટ્રીક ટન ઉત્પાદનની શકયતા છે. પ્રતિ ખેડૂત વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ટેકાના ભાવે ખરીદી કરાશે. 15 નવેમ્બર બાદ ખરીદીની શરૂઆત કરાશે. હેક્ટર દીઠ ઉત્પાદકતા અંદાજે 1836 કિલો. ટેગ સાથેના બારદનનો ઉપયોગ કરવામાં આવશે. 1000 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરાશે.