મગફળીના ટેકાના ભાવ માટે 33,324 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી ઓછું બોટાદ જિલ્લામાં થયું છે
મગફળીના ટેકા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
પ્રથમ દિવસે ઓનલાઇન 33,324 રજિસ્ટ્રેશન થયું
લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે
રાજ્યમાં મગફળીનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું, આજથી શરૂ થયેલા આ ટેકાના ભાવ માટે સૌથી વધુ 33,324 ખેડૂતોએ રાત્રે આઠ વાગ્યા સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી આગળનો રેકોર્ડ તોડ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં 18,073 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું જ્યારે સૌથી ઓછું બોટાદમાં 2 ખેડૂતોએ ક મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશન કરાયું છે. લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે અને આજથી એટલે કે 1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
કયા કેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા?
ગીર સોમનાથ 18,073 રજિસ્ટ્રેશન
રાજકોટમાં 6868 રજિસ્ટ્રેશન
સાબરકાંઠામાં 2514 રજિસ્ટ્રેશન
જૂનાગઢમાં 2511 રજિસ્ટ્રેશન
અરવલ્લીમાં 1118 રજિસ્ટ્રેશન
સુરેન્દ્રનગરમાં 959 રજિસ્ટ્રેશન
અમરેલીમાં 514 રજિસ્ટ્રેશન
મોરબીમાં 339 રજિસ્ટ્રેશન
પોરબંદરમાં 158 રજિસ્ટ્રેશન
ગાંધીનગરમાં 120 રજીસ્ટ્રેશન
દેવભૂમિ દ્વારકામાં 86 રજીસ્ટ્રેશન
જામનગરમાં 44 રજીસ્ટ્રેશન
બનાસકાંઠામાં 10 રજિસ્ટેશન
ભાવનગરમાં 8 રજિસ્ટ્રેશન
બોટાદમાં 2 રજિસ્ટ્રેશન
ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે
મહત્વનું છે કે ખેડૂતો નોંધણીની કામગીરી કરાવવા આવી રહ્યા છે ત્યારે તલાટીઓની હડતાળને પગલે નોંધણીની કામગીરી પણ ખોરવાઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જૂના માર્કેટ યાર્ડમાં લોધિકા, હડમતીયા, ગોલીડા, વગુદળ અને પાળગામથી ખેડૂતો મગફળીના રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા પરતું માર્કેટ યાર્ડમાં VCE અને તલાટીઓ મંત્રી હડતાળને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
માર્કેટ યાર્ડમાં VCEની હડતાળથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
અહીં ઉલ્લેખનિય છે માર્કેટ યાર્ડ તરફથી પણ કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી ખેડૂતો દ્વારા APMCના ચેરમેનને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા APMC દ્વારા પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી VCEને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે પરતું VCE હડતાળ પર ઉતરી જતા ખેડૂતોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 5 ઓક્ટોબરે VCE કર્મીઓ કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે. VCE કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારની માગ છે. અને પડતર પ્રશ્નોના નિરાકરણની પણ માગ છે. 2006થી VC તરીકે કામ કરતા કર્મીઓના શોષણની પણ વાત કરાઇ છે. પોતાની માગોને લઇ 13 ઓક્ટોબરે VCE કર્મીઓ સત્યાગ્રહ છાવણીએ એકઠા થશે.
VCE કર્મી શું કામ કરે છે?
રાજ્યના VCE કર્મીઓ દ્વારા વિવિધ માગોને લઇ વિરોધ કરાઇ રહ્યો છે. VCE કર્મીઓની માગ છે કે ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે સાથે જ VCE કર્મીને પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે, રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે.