કેન્દ્ર અને આંદોલનકારી 40 ખેડૂત સગઠનોની નેતાઓ વચ્ચેની સાત વખતની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. જો કે 30 ડિસેમ્બરની વાતચીત થોડી સકારાત્મક રહી હતી. જેમાં ખેડૂતોએ થોડી સફળતા મેળવી હતી. આ સાથે આજે ફરીથી સરકાર સાથે આઠમી વખતની વાતચીત થવા જઈ રહી છે ત્યારે જોવાનું એ છે કે ખેડૂતો તેમની જિદ્દ પર વિજય મેળવી શકે છે કે કેમ.
આજે ખેડૂત અને સરકાર સાથે આઠમી વખતની વાતચીત
સાત વખતની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી
છેલ્લા 43 દિવસથી ખેડૂતો ઠંડી અને વરસાદની સાથે આંદોલન કરી રહ્યા છે
આજે આઠમી વખત થશે વાતચીત શક્ય
કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે આજે આઠમી બેઠક થવા જઈ રહી છે. વરસાદ અને કડકડતી ઠંડીની સાથે ખેડૂતો 43 દિવસથી આંદોલન કરી રહ્યા છે. દિલ્હીની સીમાઓ પર કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતો કાયમ છે. પહેલાની 7 વખતની વાતમાં કોઈ ખાસ પરિણામ મળ્યું નથી. એક તરફ ખેડૂતોનું કહેવું છે કે સરકાર કૃષિ કાયદો પરત નહીં લે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમે પાછળ હટવાના નથી.
आज हमारे किसानों ने ट्रैक्टर रैली निकालकर ट्रेनिंग ली ताकि 26 जनवरी के दिन ट्रैक्टर रैली की परेड निकाली जा सके। 26 जनवरी के दिन ट्रैक्टर और टैंक एकसाथ चलेंगे। ट्रैक्टर 2 लाइन में चलेंगे और टैंक एक लाइन में चलेगा: राकेश टिकैत,भारतीय किसान यूनियन के प्रवक्ता pic.twitter.com/x7wfoEgJn0
કેન્દ્ર અને ખેડૂત આંદોલનની વચ્ચે આજે થનારી વાતચીત પહેલાં ગુરુવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે સરકાર 3 નવા કાયદાને પરત લેવાના કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર કરવા તૈયાર છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રઈ સોમ પ્રકાશની સાથે વાતચીત કર્યા બાદ તોમરે કહ્યું કે તેઓ હાલમાં કંઈ કહી શકશે નહીં. આજની વાતચીત વિજ્ઞાન ભવનમાં બપોરે 2 વાગે થશે અને પછી જ કોઈ નિર્ણય આવી શકશે.
सरकार अगर सोचती है किसान आंदोलन को थाका कर ख़त्म कर दिया जाएगा तो मैं समझता हूं कि यह गलतफहमी उन्हें नहीं पालनी चाहिए। मुझे डर है कि अगर किसान आंदोलन का हल नहीं किया गया तो आनेवाले दिनों में क्या होगा कल्पना से परे है: मनोज झा, RJD#FarmerProtestspic.twitter.com/GX72BSoxNz
કેન્દ્ર અને આંદોનકારી ખેડૂત સંગઠનની સરકાર સાથેની 7 વાતચીત નિરર્થક રહી છે. જો કે આજની બેઠકમાં થોડી આશા બંને પક્ષે રાખવામાં આવી રહી છે. 30 ડિસેમ્બરની બેઠકમાં સરકારે વીજળી સબ્સિડી અને પરાલી બાળવાના સંબધમાં 2 માંગ માની હતી.
કૃષિ મંત્રીએ આપ્યું આ નિવેદન
તેઓએ કહ્યું કે તેઓ કાયદાને પરત લેવાની માંગ સિવાય કોઈ પણ પ્રસ્તાવ પર વાત કરવા અને વિચાર કરવા તૈયાર છે. તેઓએ કહ્યું છે કે રાજ્યોમાં નવા કેન્દ્રીય કાયદા લાગી કરવાની છૂટ અપાઈ નથી અને હું તેમની સાથે વાત ચાલુ રાખીશ. સરકારની આવનારી રણનીતિને લઈને તેઓએ કહ્યું કે જે પણ પગલાં લેવાયા છે તે શરૂઆત છે અને તેમાં સુધારો કરાઈ રહ્યો છે. કીટનાશક વિધેયક અને બીજ વિધેયક પણ આવી શકે છે.
हरियाणा: 26 जनवरी को किसानों की परेड मार्च में भाग लेने के लिए जींद में एक महिला ट्रैक्टर चलाना सीख रही है।
महिला ने कहा, "26 जनवरी को दिल्ली पहुंचेंगे। अगर सरकार नहीं मानेगी तो ट्रैक्टर-ट्राली लेकर परेड करेंगे, जिसके लिए हम ट्रेनिंग ले रहे हैं। हम बिल्कुल पीछे नहीं हटेंगे।" pic.twitter.com/4ANuxkTevg
શુક્રવારે એટલે કે આજે થનારી વાતચીત પહેલાં ગઈકાલે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ પણ કરી હતી. દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન સ્થળ પર ટ્રેક્ટર માર્ચ કરાઈ હતી.
દિલ્હીની સીમાઓ પર એક મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો અડગ રહ્યા છે અને સાથે 3 કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર કાયમ છે. તેઓ પાક માટે એમએસપી માંગી રહ્યા છે. પ્રદર્શન કારી ખેડૂતોમાં મોટાભાગના ખેડૂતો પંજાબ અને હરિયાણાના છે.