યૂપીના સંભલમાં કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને વેગ આપ્યા બાદ ખેડૂત નેતાઓની વિરુદ્ધમાં ઉપજિલ્લા અધિકારીની તરફથી 50 લાખ રૂપિયા ભરવાની નોટિસ જાહેર કરવામાં આવી છે. હાલમાં 6 ખેડૂતોને આ નોટિસ મોકલાઈ છે. ખેડૂતોએ કહ્યું કે આ નોટિસ તેમના અધિકારોનું હનન છે.
યૂપીના સંભલમાં ખેડૂતોને મળી નોટિસ
આંદોલનમાં સામેલ થનારા 6 ખેડૂતોને મળી નોટિસ
50 લાખ રૂપિયા ભરવાની મળી નોટિસ
યૂપીના સંભલમાં ખેડૂત આંદોલનમાં સામેલ થનારા 6 ખેડૂતોને 50 લાખ રૂપિયા ભરવાની નોટિસ મળી છે. તેમાં ભારતીય ખેડૂત યુનિયનના જિલ્લા ઉપાધ્યક્ષ રાજપાલ સિંહ, જયવીર સિંહ, સત્યેન્દ્ર, વીર સિંહ અને રોહદાસ સામેલ છે, આ નોટિસ ઉપજિલ્લા અધિકારી સંભલની તરફથી જાહેર કરાઈ છે. પોલિસે દાવો કર્યો છે કે રકમમાં ભૂલ થઈ હતી અને તેને ઘટાડી દેવામાં આવી છે. તો ખેડૂતોનું કહેવું છે કે આ રીતની નોટિસ તેમના લોકતાંત્રિક અધિકારોનું હનન છે.
અધિકારીએ નોટિસમાં કહ્યું છે કે ખેડૂતોના આંદોલનથી શાંતિભંગનો ખતરો છે. આ માટે 50 લાખ રૂપિયાની ભરપાઈની 2 જમાનત ભરવાની નોટિસ જાહેર કરાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર આંદોલનનું દમન કરવા ઈચ્છે છે. તેઓએ આ રકમ ભરવાની મનાઈ કરી છે.
केंद्रीय कृषि मंत्री श्री @nstomar ने देश के अन्नदाताओं को पत्र लिखकर उनके हितों के लिए किये गए कृषि सुधारों की आवश्यकता और उपयोगिता को उद्धृत किया है। साथ ही उन्होंने इस सम्बंध में फैलाए जा रहे भ्रमजाल को निरस्त करते हुए महत्वपूर्ण आश्वासन दिए हैं। #ModiWithFarmerspic.twitter.com/zyk72ZU4ZN
ખેડૂતોને સમજાવવા માટે કૃષિ મંત્રીએ 8 પાનાનો પત્ર લખ્યો છે. આ એક બેઠક બાદ જાહેર કરાયો હતો. આ બેઠકમાં અમિત શાહ, પિયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ હતા. તોમરે અપીલ કરી કે અનેક સંગઠનો કાયદાનું સ્વાગત કરી રહ્યા છે. તેઓ ખેડૂતોની ખેતીને બારીકીથી સમજે છે. તોમરે કહ્યું કે મારી જવાબદારી છે કે ખેડૂતોને માર્ગ ભટકતા અટકાવું. તોમરે કહ્યું કે જે લોકો દવાનો માટે મોકલાતા રાશનની ટ્રકને રોકી રહ્યા છે તેઓ ખેડૂત ન હોઈ શકે, વિપક્ષી દળો તેમને ભડકાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે દેશ જ્યારે આત્મનિર્ભર ભારત બનવાની તરફ છે તો લોકોએ અહીના ઉત્પાદનોનો બાયકોટ કર્યો છે તેમની ઓળખ હોવી જોઈએ. પીએમ મોદીએ પણ તોમરની ટ્વિટને રીટ્વિટ કરી છે.