ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ઘણા દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે યુપીમાં આંદોલન સામે હલચલ તેજ થઈ છે.
દિલ્હીમાં થયેલા ઉપદ્રવ બાદ યોગી સરકાર એક્શનમાં
સૂત્રો અનુસાર ગાજીપુર બોર્ડર ખાલી કરાવી દેવાની શક્યતાએ જોર પકડયું
યુપીમાં હવે એક જ બોર્ડર પર બચ્યા છે ખેડૂતો
ગાઝિયાબાદના DMએ ધરનાસ્થળ ખાલી કરવા આદેશ આપ્યા
ખેડૂતો દિલ્હીની વિવિધ બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે યોગી સરકાર એક્શન લેવાના મૂડમાં આવી ગઈ છે. યોગી સરકારે ખેડૂતોને ધરણાં સમાપ્ત કરાવી દેવાના આદેશ આપ્યા છે. માહિતી મુજબ બધા જ જિલ્લાના અધિકારીઑ અને પોલીસ તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ગાઝિયાબાદના DMએ પણ ખેડૂતોને ધરનાસ્થળ ખાલી કરી દેવાના આદેશ આપી દીધા છે.
ગાજીપુર બોર્ડર પર હલચલ તેજ, ભારે સંખ્યામાં ફોર્સ ઉતારી દેવાઈ
બીજી તરફ ગાજીપુર બોર્ડરની પાસે ભારે સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે સાથે પેરામિલીટરી ફોર્સ, પીએસીની દસ જેટલી કંપનીઓને ખડકી દેવામાં આવી છે. જે સ્થળ પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યાં ગાઝિયાબાદ પોલીસના મોટા મોટા અધિકારીઓ પહોંચી રહ્યા છે. યુપીના આ વિસ્તારમાં જ રાકેશ ટીકૈત પોતાના સમર્થકોની સાથે ધરણાં પર બેઠા છે ત્યારે યુપી પોલીસે આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું છે. ગાજીપુર બોર્ડર પર પોલીસે કમર કસી લીધી છે અને વીજળી પાણીની સપ્લાય કાપી દેવામાં આવી છે. બોર્ડર પર અચાનક જ મોટી સંખ્યામાં બસો અને ફોર્સને જોઈને ખેડૂતો આગળની રણનીતિને લઈને અંદરોઅંદર બેઠક કરી રહ્યા છે
યુપીના ADGનું મોટું નિવેદન
આ બધી ઘટનાઓની વચ્ચે ઉત્તર પ્રદેશના ADGએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે ખેડૂતોએ સ્વેચ્છાથી ચિલ્લા બોર્ડર, અને દલિત પ્રેરણા સ્થળથી આંદોલન પાછું લઈ લીધું છે. બાગપતમાં પણ લોકોને સમજાવવામાં આવ્યા જે બાદ ધરણાં સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. ;યુપીગેટ પર હજુ કેટલાક લોકો બેઠા છે પણ તેમની સંખ્યા ખૂબ ઓછી છે.
If Delhi Police asks for our help in connection with the violence (on 26th Jan) we'll help them. We won't allow any such element - who did this on a national festival - in our state. People have assured us that they will not provide shelter to any rowdy element: ADG(Law & Order)
ગણતંત્ર દિવસ પર થયેલ ઉપદ્રવ બાદ અત્યાર સુધીમાં ત્રણ સંગઠનોએ આંદોલનથી છેડો ફાડ્યો છે જે બાદ આંદોલનના ભવિષ્ય પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગઇકાલે જ્યાં બે સંગઠનો આંદોલનથી અલગ થયા હતા ત્યારે આજે વધુ એક સંગઠન ભારતીય કિસાન યુનિયન લોકશક્તિએ આંદોલન સમાપ્ત કરી નાખ્યું છે.
દિલ્હીમાં પણ હલચલ તેજ
દિલ્હીમાં થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ કમિશનર એસ એસ શ્રીવાસ્તવની આગેવાનીમાં હાઇલેવલ બેઠક કરવામાં આવી રહી છે અને આ બેઠકમાં ઇનટેલેજન્સ વિભાગના અધિકારીઑ પણ પહોંચ્યા છે.
I would like to tell you that the coming days can be very challenging for us. So, we will have to be alert. We will have to remain patient and disciplined. I thank you for your patience and restraint: Delhi Police Commissioner SN Srivastava writes to Delhi Police staff
નોંધનીય છે કે દિલ્હીના પોલીસ કમિશનરે પોલીસ સ્ટાફને પત્ર પણ લખ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસો આપણાં માટે ખૂબ જ પડકારજનક હશે જેથી આપણે સૌએ અલર્ટ રહેવાની જરૂર છે. આપણે ધીરજ અને શિસ્ત રાખવાની જરૂર છે.
સિંઘુ બોર્ડર પર જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા
Police barricading in place at Singhu border (Delhi-Haryana border), in order to restrict the protesters from coming to one side of the road from the other side. pic.twitter.com/yZZFBRVuWf