કુરૂક્ષેત્રના પિહોવામાં મંગળવારે બોલાવેલ ખેડૂત મહાપંચાયતને સંબોધન કરતા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મહત્વનું નિવેદન આપ્યું હતું. રાકેશ ટિકૈતે જણાવ્યું કે, આંદોલન હવે આગળ વધતું રહેશે અને દેશભરમાં ફેલાશે. આ સાથે જ 4 લાખ નહીં પરંતુ 40 લાખ ટ્રેકટરોની રેલી યોજાશે.
ખેડૂત આંદોલનનો મામલો ગરમાયો
રાકેશ ટિકૈતે મહાપંચાયતમાં આપ્યું મોટું નિવેદન
4 લાખ નહીં પરંતુ 40 લાખ ટ્રેકટરોની રેલી યોજાશે તેવી કરી વાત
40 લાખ ટ્રેક્ટરની યોજાશે રેલી
ઉલ્લેખનીય છે કે, મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન સમગ્ર દેશમાં ફેલાશે.
મહાપંચાયત બાદ મીડિયા સાથે વાતચીત કરતા ટિકૈતે પ્રધાનમંત્રી મોદીના નિવેદન પર નિશાન શાધતા કહ્યું કે, તેમણે જીવનમાં ક્યારે આંદોલન કર્યું નથી પરંતુ દેશને તોડવાનું કામ કર્યું છે. તો તેમને આંદોલન કરતા આંદોલનજીવી વિશે શું જાણે? તેમણે કહ્યું કે, આંદોલન તો શહીદ ભગત સિંહે કર્યું. એટલું જ નહીં લાલકૃષ્ણ અડવાણીએ પણ આંદોલન કર્યું હતું પરંતુ પ્રધાનમંત્રી મોદીએ આંદોલન નથી કર્યું.
સંતોએ આંદોલનને કર્યું છે સમર્થન
કાશી સુમેરુપીઠના શંકરાચાર્ય સ્વામી નરેંદ્રાનંદ સરસ્વતી સોમવારે ઘણા અગ્રણી સંતો સાથે ગાજીપુર બોર્ડરે પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ બાબતનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ કેમ કે દેશના અન્નદાતાઓ રસ્તાઓ પર રહે છે, આ સ્થિતિ દેશ માટે યોગ્ય નથી. કલ્કિ પીઠધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર આ મામલાનો જલ્દી કોઈ સમાધાન નહી લાવે તો દેશનો સંત સમાજ પણ કુંભમેળા દરમિયાન આંદોલનનું સમર્થન કરી આંદોલન કરવાનું નિર્ણય કરી શકે છે.
સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર હોવાની કરી વાત
ખેડૂત સંગઠનોએ સોમવારે એવી જાહેરાત કરી કે અમે સરકાર સાથે મંત્રણા માટે તૈયાર છીએ. ખેડૂત નેતાઓએ સરકારને મંત્રણાની તારીખ અને સમય નક્કી કરવાનું પણ જણાવી દીધું છે. સામયુક્ત કિસાન મોરચાના સિનિયર સભ્ય ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે અમે હવે પછીની મંત્રણા માટે તૈયાર છીએ. અમે સરકારને મંત્રણાની તારીખ અને સમય જણાવવાનું કહીએ છીએ. તેમણે કહ્યું કે અમારુ વલણ સ્પસ્ટ છે. ત્રણ કાયદા પાછા ખેંચવાની અમારી માગ છે. આ આંદોલનમાં ભાગ લેનાર તમામ ખેડૂત સંગઠનો એકજૂટ છે.
લાલકિલ્લાની ઘટનાના આરોપી દીપ સિદ્ધુની તાજેતરમાં કરાઇ છે ધરપકડ
26 જાન્યુઆરીની દિલ્હી હિંસા દરમિયાન લાલકિલ્લાની ઘટનાના સંબંધમાં ધરપકડ થયેલા અભિનેતા અને કાર્યકર દીપ સિદ્ધુને મંગળવારે કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. દિલ્હી પોલીસે કોર્ટમાં દીપ સિદ્ધુની 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ દિલ્હી કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
પોલીસના સ્પેશિયલ સેલેને મહત્વની સફળતા મળી છે. જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની હિંસાના આરોપી દિપ સિદ્ધની ધરપકડ કરી છે. લાલ કિલ્લામાં થયેલી હિંસા વખતે વીડિયો પણ બનાવ્યો હોવાનો આરોપ છે.