કૃષિ કાયદાના વિરોધમાં ગણતંત્ર દિવસે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ યોજી. શાંતિપૂર્ણ પરેડ યોજવાનો દાવો કર્યો હતો, પરંતુ આ પરેડથી દિલ્હીમાં હોબાળો મચી ગયો.
86 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા
પબ્લિક પ્રોપર્ટીને પણ નિશાન બનાવી
આંદોલનકારીઓએ 8 બસો અને 17 ગાડીઓ તોડી
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલા હોબાળાએ દેશની રાજધાનીનો માહોલ ગરમ કરી દીધો. અલગ અલગ જગ્યાઓ પર આંદોલન દરમિયાન પોલીસની સાથે આંદોલનકારીઓનું ઘર્ષણ થયું. પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું. આ ઉપદ્રવને લઇને પોલીસે છ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સાત ફરિયાદ દાખલ કરી છે. 8 બસો, 17 ગાડીઓ તોડી, ખેડૂતની ટ્રેક્ટર પરેડ હિંસા બાદ 7 ફરિયાદ નોંધાઇ છે. તો બીજી તરફ હિંસામાં કુલ 86 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તો લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજની જગ્યાએ નિહંગનો ધ્વજ ફરકાવ્યો હતો.
દિલ્હીના નૉર્થ ડિસ્ટ્રિક્ટના અંદાજિત 45 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. નૉર્થ ડિસ્ટ્રિક્ટના ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે સિવિલ લાઇન હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 18 ઇજાગ્રસ્તપોલીસ કર્મચારીઓને સારવાર માટે લોકનાયક જયપ્રકાશ(LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાંથી કેટલાકની હાલત નાજૂક જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, LNJP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા 18 પોલીસ કર્મચારીઓમાંથી એકની હાલત ગંભીર છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે આ મામલે ગુનેગારો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ખેડૂત નેતાઓએ જે શરતો પર સહમતિ દર્શાવી હતી, તે તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.
પબ્લિક પ્રોપર્ટીને પણ નિશાન બનાવી
કેટલીક જગ્યાઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ થઇ. આંદોલનકારીઓએ આ દરમિયાન પબ્લિક પ્રોપર્ટીને પણ નિશાન બનાવી.
આંદોલનકારીઓએ 8 બસો અને 17 ગાડીઓ તોડી
પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ DTCની 8 બસોને ખુબ નુકસાન પહોંચાડ્યું. આ બસોમાં ટ્રેક્ટરથી ટક્કર મારવામાં આવી. બસોના કાચ તોડી દેવામાં આવ્યા. એટલું જ નહીં આ પ્રદર્શન દરમિયાન 17 એવા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા, જે સામાન્ય નાગરિકોના હતા. આ સિવાય ચાર કન્ટેનર પણ તોડી દેવામાં આવ્યા. પ્રદર્શનકારીઓને રોકવા માટે રોડ પર લગાવવામાં આવેલા લોખંડના અંદાજિત 30 બેરિકેડ્સને પણ તોડી દેવામાં આવ્યા.
#WATCH | Two vehicles of Delhi Police including a riot control vehicle were vandalised by protesters at Nangloi-Najafgarh Road earlier today. (Video source - Delhi Police) pic.twitter.com/FWW6Detxpw
દિલ્હીમાં હોબાળા અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે ઈસ્ટર્ન રેન્જ પોલીસ દ્વારા 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાંડવ નગર પોલીસ સ્ટેશનમાં એક, ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં બે અને એક ફરિયાદ ઉત્તમનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. સૂચના એ છે કે સેન્ટ્રલ અને નોર્થ દિલ્હી જે એરિયામાં લાલ કિલા છે, ત્યાં પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દિલ્હીમાં હિંસા બાદ હરિયાણામા હાઈ અલર્ટઃ DGPએ કહ્યું- ઉપદ્રવિઓને બક્ષવામાં નહીં આવે
ગણતંત્ર દિવસે હિંસક પ્રદર્શન બાદ હરિયાણામાં પોલીસ હાઇ અલર્ટ પર છે. DGP મનોજ યાદવે કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કડકાઇથી વર્તશે. તેમણે કહ્યું કે, હિંસા કરનારાઓ અને અફવાઓના માધ્યમથી હિંસા ભડકાવનારાઓની ધરપકડ કરીને તેમને તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવશે. ખેડૂત આંદોલનને લઇને હરિયાણામાં હાઈ અલર્ટ છે. ડીજીપી મનોજ યાદવે તમામ રાજ્યોના જિલ્લા કેપ્ટનોને આદેશ આપ્યા છે કે કોઇ પણ સંજોગોમાં ઉપદ્રવિઓ અને દંગાખોરોને બક્ષવામાં ન આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દ્વારા યોજવામાં આવેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન કેટલીક જગ્યાઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઇ. દિલ્હી પોલીસે કેટલીક મહત્વની શરતો સાથે ખેડૂતોને ટ્રેક્ટર પરેડ યોજવાની મંજૂરી આપી હતી, પરંતુ મંગળવાર સવારે જ્યારે ખેડૂત ટ્રેક્ટર સાથે દિલ્હીની બોર્ડર પહોંચ્યા તો તમામ નિયમો તૂટતા નજરે આવ્યા. બેરિકેડિંગ તોડતા પ્રદર્શનકારીઓએ ભારે ઉત્પાત મચાવ્યો. ત્યારે આ મામલે ગૃહ મંત્રાલયે સંજ્ઞાન લેતા દિલ્હીમાં જ્યાં હોબાળો થયો, ત્યાં વધુ સુરક્ષાબળોને તૈનાતીના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કાયદો વ્યવસ્થા કાયમ રાખવી પ્રાથમિકતા છે.