કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 55મો દિવસ છે. આ વચ્ચે આજે અન્નદાતાઓ અને સરકાર વચ્ચે 10માં તબક્કાની બેઠક યોજાવાની હતી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કમિટીની આજે પહેલી બેઠક મળી છે.
કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની કમિટીની પ્રથમ બેઠક
ખેડૂત સંગઠન આ કમિટીનો કરી રહ્યા છે વિરોધ
કમિટીની પ્રથમ બેઠકમાં શું થશે તેના પર સૌની નજર
યૂપી ગેટ પર કિસાન આંદોલનને લઇને મહારાજપુરમાં ટ્રાફિક જામ
યૂપી ગેટ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને આજે વાહન વ્યવહાર વધતા મહારાજપુર બોર્ડર પર વાહનોનો ટ્રાફિક જામ જોવા મળ્યો.
દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ ખેડૂતોની સાથે બેઠકકરવા સિંધુ બોર્ડર પહોંચી ચૂક્યા છે અને તેમને મનાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ ખેડૂત આંદોલનને લઇને એક પત્રકાર પરિષદ યોજવા જઇ રહ્યાં છે.
We don't know, we're not going (to first meeting of SC-formed committee). Nobody from the agitation approached Court. Govt brought Bill through Ordinance, it was tabled in the House. It'll go back the same route it came from: Rakesh Tikait, spox, Bharatiya Kisan Union#FarmLawspic.twitter.com/EW0sqf7GWF
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સમિતિની બેઠકમાં અમે જઇ રહ્યાં નથી. આંદોલનમાં સામેલ કોઇપણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો નથી. સરકાર અધ્યાદેશના માધ્યમથી બિલ લાવી, તેને સદનમાં રજૂ કર્યું. આ પરત પણ એ જ રસ્તેથી જઇ જે રીતે લાવવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સમિતિની બેઠક શરુ, કિસાન નેતા ન પહોંચ્યાં
સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાની સમીક્ષા માટે ગઠન કરાયેલી સમિતિની પહેલી બેઠક શરુ થઇ ગઇ છે. જો કે આ બેઠકમાં કોઇ ખેડૂત નેતા પહોંચ્યાં નથી.
અમે સુપ્રીમ કોર્ટની કમિટી સામે નહીં હાજર થઇએ
ભાકયૂના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠન સમિતિની પહેલી બેઠકમાં જવા માટે ઇનકાર કર્યો. ટિકૈતે કહ્યું કે અમને ખબર નથી, અમે જઇ રહ્યાં નથી. આંદોલનમાંથી કોઇપણે કોર્ટના શરણે ગયા નથી.
दिल्ली पुलिस और उत्तर प्रदेश पुलिस के अधिकारी सिंघु बॉर्डर (दिल्ली-हरियाणा) पर पहुंचे। (बैठक शुरू होने से पहले की तस्वीरें)
દિલ્હી અને યૂપી પોલીસ સિંધુ બોર્ડર પહોંચી ગયેલી જોવા મળી અને તેઓ ખેડૂત નેતાઓને મળ્યાં છે. પોલીસ ખેડૂત નેતાઓને 26 જાન્યુઆરીની તેમની ટ્રેકટરી રેલી માટે મનાવવા પહોંચ્યાં છે.
દિલ્હી પોલીસનો તર્ક છે આ દિવસે સુરક્ષાને લઇને ઘણો સંવેદનશીલ હોય છે, એવા સમયે ટ્રેકટર રેલી ન નીકાળી શકાય, કારણ કે તેનો ફાયદો કેટલાંક અસમાજિક તત્વો ઉઠાવી શકે છે.