શિરોમણિ અકાલી દળના નેતા અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંઘ બાદલે શનિવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દેશનો અવાજ સાંભળવો જોઈએ અને કૃષિ કાયદાને રદ્દ કરવો જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને અવાજ સાંભળવો જોઇએ
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, અકાલી નેતા સુખબીર સિંઘ બાદલે કહ્યું, "હું વડા પ્રધાન મોદીને કહેવા માંગુ છું કે દેશનો અવાજ, દેશના ખેડુતોને સાંભળવો જોઈએ અને આ 3 કાયદાને જ રદ કરવામાં આવે."
मैं प्रधानमंत्री मोदी जी को कहना चाहूंगा कि देश की आवाज़, देश के किसानों की बात सुननी चाहिए और जल्दी ही ये 3 कानूनों को रद्द करना चाहिए: सुखबीर सिंह बादल, SAD #FarmLawspic.twitter.com/a6iYj2vgSa
ઉલ્લેખનીય છે કે,, અકાલી દળના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે કહ્યું કે, "નિર્દોષ યુવાનોને છોડવા અને તેમના વિરુદ્ધના કેસ બંધ કરવા દિલ્હી જવાની કેપ્ટન સાહેબ (પંજાબના સીએમ અમરિંદર સિંહ) ની ફરજ છે. 200 - 300 યુવાનોના જીવનને બગાડે નહીં. 26 જાન્યુઆરીથી, તે યુવાનોને બંધ રાખવામાં આવ્યા છે, લાલ કિલ્લા પોલીસ સ્ટેશનમાં એક પણ એફઆઈઆર થઇ છે?
તાજેતરમાં જ અકાલી દળે ભાજપ સાથે તોડ્યું છે ગઠબંધન
આપને જણાવી દઈએ કે એનડીએમાં ભાજપના જૂના સહયોગી શિરોમણિ અકાલી દળ (એસએડી) એ કૃષિ કાયદાને લઈને ગઠબંધન તોડી નાખ્યું છે. તે જ સમયે, કેન્દ્રિય પ્રધાન રહેલી હરસિમરત કૌર બાદલે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
कैप्टन साहब का फर्ज बनता है कि वो दिल्ली जाकर बेकसूर नौजवानों को बाहर निकालें और उनके खिलाफ हुए केसों को बंद करें जिससे 200-300 नौजवानों की ज़िंदगी खराब ना हो। 26 जनवरी से उन नौजवानों को बंद करके रखा है, लाल किले के थाने पर एक भी एफआईआर हुई है? :हरसिमरत कौर बादल, शिरोमणि अकाली दल pic.twitter.com/skxgic33vQ
આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું છે. જો કે ખેડૂતોએ દિલ્હી-NCRને આ ચક્કાજામથી બહાર રાખ્યું છે તેમ છતાં દિલ્હીમાં પોલીસ અલર્ટ પર છે. 26 જાન્યુઆરીના રોજ થયેલ હિંસાને લઇને આ વખતે પોલીસ કોઇ છૂટછાટ રાખવાના મૂડમાંથી નથી.
રાંચી-કોલકાતા હાઇવે પર સન્નાટા
રાંચી-કોલકાતા રાષ્ટ્રીય નેશનલ હાઇ વે પર પણ ખેડૂતોએ ચક્કા જામની અસર જોવા મળી. રાંચી-કોલકાતા નેશનલ હાઇવે પર ગાડીઓનું આવનજાવન બંધ રહ્યું. આ દરમિયાન રોડ પર સન્નાટા જોવા મળ્યો.
હરિયાણાના પલવલમાં પ્રદર્શન
હરિયાણાના પલવલ પાસે અટોહન ચોક પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
જમ્મૂ-પઠાનકોટ હાઇવે પર ચક્કાજામ
ખેડૂતો દ્વારા દેશભરમાં ચક્કાજામનું આહવાન કરવામાં આવ્યું છે. જેને લઇને જમ્મૂ-પઠાનકોટ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યું.
ગુરુગ્રામના કૃષ્ણચોકમાં ચક્કાજામ શરુ
ગુરુગ્રામના કૃષ્ણ ચોક પર ચક્કાજામ શરુ કરવામાં આવ્યું છે. કૃષ્ણ ચોક દિલ્હીના નજફગઢ અને કાપસહેડા સરહદ પર બે કિલોમીટરના અંતર પર સ્થિત છે.