કૃષિ કાયદાને લઈને સતત 39 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે સરકાર અને ખેડૂતોની વચ્ચે સાતમી વખતની વાતચીત શરૂ થઈ છે. ખેડૂતો 4 પ્રમુખ માંગમાંથી 2 પર સહમતિ બનાવી ચૂક્યા છે અને સાથે જ હવે આજની બેઠકમાં MSPની ગેરંટી અને કૃષિ કાયદો રદ કરવાની માગ પર ખેડૂતો અડગ છે.
આજે સરકાર સાથે ખેડૂતોની બેઠક
બેઠક પર ખેડૂતોને મોટી આશા
સરકાર 3 કાયદા રદ કરી MSP પર ગેરંટી આપે
કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો અને સરકાર વચ્ચે આજે સાતમી વખત વાતચીત યોજાશે. જેમાં 4 પ્રમુખ માંગમાંથી 2 પર સહમતિ બની ચૂકી છે. એમએસપી પર લેખિત ભરોસો અને કાયદાના પરત લેવાની માંગ હજુ પણ ચાલી રહી છે. સરકારને ભરોસો છે કે આ વાતચીતમાં બંને તરફથી જિદની દિવાલ તૂટશે અને આંદોલન સમાપ્ત થઈ શકશે.
कल का एजेंडा रहेगा स्वामीनाथन कमेटी की रिपोर्ट, तीन कृषि क़ानूनों की वापसी और MSP पर क़ानून बने। हम वापस नहीं जाएंगे। अब तक 60 किसान शहीद हो चुके हैं। सरकार को जवाब देना होगा: राकेश टिकैत, भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता #FarmerProtestpic.twitter.com/z927j3iBai
તેઓએ કહ્યું છે કે હજુ તો વાતચીતની શરૂઆત થઈ છે. જો તાપમાન માઈનસમાં જતું રહેશે તો પણ ખેડૂતો ઘરે નહીં જાય. ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં 60 લોકોના મૃત્યુ થયા છે. કૃષિ કાયદો પાછો નહીં ખેંચાય તો ખેડૂતો આ હાર સહન કરી શકશે નહીં, માટે સરકાર ખેડૂતોની ભાવનાઓની કદર કરે અને સાથે જ "સ્વામીનાથ કમિટીને લાગુ કરે અને MSP પર ગેરંટી આપે. સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચે તેવી અપીલ પણ કરી છે.
अगर आज तीनों कानूनों को निरस्त करने की बात नहीं बनती और MSP गारंटी का कानून नहीं आता तो हमारे अगले कार्यक्रम पहले से ही तैयार हैं। 6 जनवरी को ट्रैक्टरों पर मार्च किया जाएगा, 7 जनवरी को देश को जगाने की कवायद शुरू होगी: सुखविंदर सिंह सभरा, किसान मज़दूर संघर्ष कमेटी #FarmersProtestpic.twitter.com/M5XAl0m94w
ખેડૂત સંગઠનોની સાથે સાતમી બેઠક પહેલાં જ પીએમ કાર્યાલય સક્રિય બન્યું છે. તેઓએ આજની બેઠક માટે સંબંધિત મંત્રીઓના ફીડબેક પમ લીધા છે. પ્રસ્તાવિત વાતચીતની વચ્ચે પહેલાં કેન્દ્ર સરકાર સતર્ક થઈને આગળની રણનીતિ પર કામ કરી રહી છે.
ખેડૂતોને આપી શકાય છે આ ફોર્મ્યુલા
સરકાર એ પણ માનીને ચાલી રહી છે કે ખેડૂતો સાથેની આ લડાઈ જલ્દી ખતમ થશે નહીં. આજની બેઠકમાં કોઈ વચ્ચેનો રસ્તો કાઢી શકાય છે અને તેને માટે કોઈ ફોર્મ્યુલા ખેડૂતોને અપાશે. સરકાર એમએસપી પર લેખિત ભરોસો આપવાનો વિકલ્પ વિચારી રહી છે. અને સાથે કાયદાને રદ્દ કરવા માટે પણ સરકાર કાયદાની સમીક્ષા માટે કમિટી બનાવવાનો પ્રસ્તાવ આપી શકે છે. કમિટીમાં ખેડૂત સંગઠનોને પ્રતિનિધિત્વ અપાશે.
39 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન
છેલ્લા 39 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં દિલ્હીની સીમાઓ પર ઠંડી અને વરસાદ બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તેઓએ ચેતવણી આપી છે કે જો સરકાર 3 કૃષિ કાયદા પરત નહીં લે અને ન્યૂનતમ સમર્થન મૂલ્યના કાયદાના સ્વરૂપને પ્રદાન કરીને 2 મોટી માંગ નહીં સ્વીકારે તો તેઓ આંદોલનને વધારે ઉગ્ર બનાવશે, આ સાથે તેઓએ અગાઉથી જ કહ્યું છે કે તેઓ વિરોધ સ્વરૂપે હરિયાણામાં તમામ પેટ્રોલ પંપ અને મોલ્સ પણ બંધ કરી દેશે.
સરકારને આજની બેઠકથી સકારાત્મક વાતચીતની આશા
એક જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી તોમરે કહ્યું હતું કે સરકાર 4 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનો સાથે ફરીથી બેઠક કરશે અને તેમાં સકારાત્મક પરિણામની પણ આશા છે. તેઓેએ એમ પણ કહ્યું કે આ સાતમી બેઠક છેલ્લી બેઠક હશે તેવું નથી. હું કોઈ જ્યોતિષી નથી. પણ મને આશા છે કે આ બેઠકમાં જે નિર્ણય લેવાશે તે ખેડૂતોના હિતમાં હશે.
આજની બેઠકમાં શું થઈ શકે?
સરકાર ખેડૂતોને એક ફોર્મ્યૂલા આપી શકે છે
વચ્ચેનો માર્ગ કાઢવા પર ફોર્મ્યૂલા રજૂ કરી શકે સરકાર
સકાર MSP પર લેખિતમાં ગેરંટી આપવા પર વિચારી રહી છે
કાયદાને રદ કરવા મુદ્દે સરકાર કમિટી બનાવવાનો પ્રસ્તાવ કરી શકે
કાયદાની સમીક્ષા માટે કમિટી બનાવવાનો પ્રસ્તાવ મુકી શકે
આ કમિટીમાં ખેડૂત સંગઠનોને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે