એમએસપી પર કાયદો બનવા સંબંધિત 6 માંગોને લઈને પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેને લઈને ખેડૂત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
આજે ખેડૂત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે
જ્યા સુધી તમામ માંગો પુરી નથી ત્યાં સુધી ખેડૂત આંદોલન જારી કરશું
ખેડૂત આંદોલનમાં મરનાર 702 ખેડૂતોની યાદી કેન્દ્રને મોકલી છે, પણ કેન્દ્રએ મરનારાની જાણકારી ન હોવાનો દાવો કર્યો
આજે ખેડૂત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે
કેન્દ્ર સરકાર તરફથી 3 વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લીધા બાદ પણ ખેડૂત આંદોલન જારી છે. ખેડૂત તરફથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી પર કાયદો બનવા સંબંધિત 6 માંગોને લઈને પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. પરંતુ સંયુક્ત ખેડૂત મોર્ચાનો દાવો છે કે અત્યાર સુધી સરકાર તરફથી આના સંબંધમાં કોઈ સંદેશ નથી મળ્યો. તેવામાં સંયુક્ત કિશાન મોર્ચા તરફથી મંગળવારે સિંધુ બોર્ડર પર બેઠક બોલાવી છે. જેમાં ખેડૂત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
જ્યા સુધી તમામ માંગો પુરી નથી ત્યાં સુધી ખેડૂત આંદોલન જારી કરશું
ખેડૂત આંદોલન તરફીથી શનિવાર અને સોમવારે પણ સિંધુ બોર્ડર પર બેઠક બોલાવી હતી. જેમાં એ જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યા સુધી તમામ માંગો પુરી નથી ત્યાં સુધી ખેડૂત આંદોલન જારી કરશું. એસકેએમનું કહેવું છે કે મોર્ચાએ આની સાથે રણનીતિ અને કેન્દ્ર સરકારથી વાતચીત કરવા માટે 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં બલવીર સિંહ રાજવાલ, ગુરનામ ચઢની, યુદ્ધવીર સિંહ, શિવકુમાર કક્કા, અને અશોક ઘાવલેને સામેલ કરવામાં આવ્યા. પરંતુ સરકાર તરફથી આ મામલા પર કોઈ જવાબ નથી આવ્યો.
ખેડૂત આંદોલનમાં મરનાર 702 ખેડૂતોની યાદી કેન્દ્રને મોકલી છે, પણ કેન્દ્રએ મરનારાની જાણકારી ન હોવાનો દાવો કર્યો
શનિવારે સંયુક્ત કિસાન મોર્ચાએ જાણકારી આપી હતી કે બેઠકમાં કેન્દ્ર સરકારને ખેડૂતોની વિરુદ્ધ નોંધાયેલા મામલા, ન્યૂનતમ સમર્થન મૂલ્ય કાયદાની ગેરન્ટીનું વળતર અને બાકી માંગણીઓ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે. ખેડૂત આંદોલનના દરમિયાન જીવ ગુમાવાર 702 ખેડૂતોની યાદી કેન્દ્ર ને મોકલી છે. જેમનાં પરિવારને વળતરની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં કહ્યું હતુ કે તેમની પાસે આંદોલનમાં મરનારાની જાણકારી નથી .