કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ હવે પિત્તો ગુમાવ્યો છે અને પંજાબમાં સેંકડોની સંખ્યામાં જિયોના ટાવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ખેડૂત આંદોલન વચ્ચે રિલાયન્સ જિયોના મોબાઇલ ટાવરમાં તોડફોડ
પંજાબમાં અત્યાર સુધીમાં કુલ 1,411 મોબાઇલ ટાવરો તોડવામાં આવ્યાં
સીએમ અમરિન્દરસિંહે ખેડૂતોને અપીલ કરી પણ અસર ન પડી
જિઓ ટાવર્સને વિવિધ સ્થળોએ નુકસાન થયું
નવા કૃષિ કાયદાઓના વિરોધમાં થઈ રહેલા આંદોલને એક મહિનો પૂરો થઈ ગયો છે અને પંજાબના કેટલાય વિસ્તારોમાં મોબાઈલ ટાવર તોડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે અંબાણી અને અદાણીનો વિરોધ કરવામાં આવશે જેની સામે હવે જિયોના ટાવરને નુકસાન પહોંચાડવામાં આવી રાગયું છે. મીડિયા અહેવાલ અનુસાર અત્યાર સુધી 1411 ટાવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પણ અપીલ કરી છે પણ તેની કોઈ અસર દેખાઈ રહી નથી.
ટેલિકોમ કનેક્ટિવિટીને અસર થઈ
નોંધનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં એવી વાતો વહેતી થઈ છે કે આ કાયદાના કારણે અંબાણી અને અદાણીને લાભ થવાનો છે અને તેના કારણે હવે ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો છે અને ટાવરને નુકસના પહોંચાડવામાં આવી રહ્યું છે.
લોકોને ધીરજ રાખવા અપીલ
Chief Minister @capt_amarinder Singh appeals to farmers not to disrupt state’s telecom services & inconvenience citizens. Chief Minister urges them to show same restraint & discipline as they’d been exercising at Delhi border.
પંજાબમાં આવી ઘણી બધી ઘટનાઓ સામે આવવાના કારણે પંજાબના મુખ્યમંત્રીએ લોકોને આ રીતે અન્ય લોકોને અસુવિધા તે રીતે આંદોલન ન કરવા માંતે અપીલ કરી. ખેડૂતોને ધીરજ રાખીને આંદોલન કરવા પણ અપીલ કરી. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી માને છે કે કોરોના વાયરસ મહામારીમાં દૂરસંચાર સંપર્ક વ્યવસ્થા ખૂબ મહત્વપૂર્ણ છે.
નવા કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે હજીપણ ઘર્ષણ યથાવત છે. ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને વારંવાર પરત ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે. જો કે, સરકારે ખેડૂત સંગઠનોને આગામી 30 ડિસેમ્બરના રોજ વાતચીત માટે બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ કાયદાને લઇને જે જુઠ્ઠાણાની દિવાલ તૈયાર થઇ છે તે ખૂબ ઝડપથી પડવાની છે.
સંયુક્ત ખેડૂત મોરચાને લઇને લખ્યો પત્ર
કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલે સંયુક્ત ખેડૂત મોરચાને પત્ર લખીને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. અગ્રવાલે પત્રમાં લખ્યું સંયુક્ત કિસાન મોરચા દ્વારા 26 ડિસેમ્બરના કરવામાં આવેલ ઇમેલમાં સરકાર સાથેની આગામી બેઠક માટે સૂચના આપવામાં આવી છે. આ બેઠક 30 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 2 વાગે વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી સ્તરીય સમિતિની સાથે યોજાશે.