ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે અમારુ ઘઉ કાપવાનું કામ પુરુ થયું છે તેથી હવે મીડિયાવાળા અને સરકારે અમને જણાવે ભીડ વધારીએ ઘટાડીએ.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો કટાક્ષ
અમારુ ઘઉ કાપવાનું કામ પુરુ થયું
સરકાર અને મીડિયા કહે તો ભીડ વધારીએ
મીડિયાવાળા ભાજપના પ્રવક્તા-ટીકૈતનો આરોપ
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ટીકૈતે કહ્યું કે સ્થિતિ એ છે કે મીડિયાવાળા ભાજપના પ્રવક્તા બની ગયા છે. સરકાર સવાલ પૂછતી નથી તે તો ટીવી એન્કર પૂછે છે. ખેડૂત નેતાએ અફસોસ વ્યક્ત કર્યો કે એકલદોકલ ચેનલોની વાત જવા દઈએ તો મીડિયાના લોકો હવે ચાર મહિના બાદ મોં દેખાડી રહ્યાં છે. તેમણે એ વાત માનવાનો ઈન્કાર કર્યો કે આંદોલન વિખેરાઈ ગયું છે અને ખેડૂતો ઘરભેગા થઈ ગયા છે.
હિસારમાં મંડળ આયુક્ત કાર્યાલય ઘેરાવને લઈને ખેડૂત ક્રાંતિમાન પાર્કમાં પહોંચવાનું શરૂ થઈ ગયા છે. જીંદની તરફથી આવનાર ખેડૂત બરવાલા થતા બાડો પટ્ટી ટોલ પર એકત્ર થઈ રહ્યા છે. રોહતક, દાદરી અને હાંસીની તરફથી આવનાર ખેડૂતો રામાયણ ટોલ પ્લાઝા પર એકત્રીત થઈ રહ્યા છે. રાકેશ ટિકૈત પણ રામાયણ ટોલ પ્લાઝા પર પહોંચી ચુક્યા છે. તે સમયે ટિકૈતે કહ્યું કે આવી ગયા છીએ તો કેસ પૂરો કરીને જ જઈશું. તોમનું દિમાગ સરખુ કરી દઈશું. સિરસા, ફતેહાબાદની તરફથી આવનાર ખેડૂતો લાંધડી પ્લાઝાથી એકત્ર થઈ ચુક્યા છે. લોહારૂ, બહલની તરફથી આવનાર ખેડૂતો ચૌધરીવાસ ટોલ પર એકત્ર થયા.
ત્યાં જ પ્રદર્શન જોતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ક્રાંતિમાન ચોકથી લઈને લધુ સચિવાલય સુધી ત્રણ ટોલ લગાવ્યા છે. લધુ સચિવાલયના બહાર થ્રી લેયર સિક્યોરિટી લગાવવામાં આવી છે. 12 વાગ્યા સુધી ખેડૂતોના ભેગા થવાની આશા છે.
જિલ્લા પ્રશાસને આંદોલન કરી રહેલા ખેડૂતોને વાતચીત કરવા માટે આપ્યુ આમંત્રણ
જિલ્લા પ્રશાસને આંદોલન કરી રહેલા ખેડૂતોને ફરી વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. જિલ્લા પ્રશાસનની તરફથી પ્રેસ જાહેર કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે 21 મેના રોજ થયેલી વાતમાં ખેડૂતોએ હિસાર મંડલાપુક્ત માટે પોતાની માંગ મુકી હતી. આ માંગનું સમાધાન કરવાની દિશા ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓને મંડલાયુક્તે વાતચીતનું આમંત્રણ આપ્યું છે. મહામારીના આ ખરાબ સમયમાં આ જરૂરી છે કે ખેડૂત આંદોલનનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે વાતચીતના માધ્યમથી કાઢવામાં આવે.