કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાનો શરુઆતથી વિરોધ કરી રહ્યા છે અને આ કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે.
ટિકૈતે કહ્યું કે ખેડૂતોને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે
પીએમ મોદી ભારતને નબળુ બનાવી રહ્યા છે- રાહુલ
હું લોકતંત્રની સાથે છું. હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલનોની સાથે છુ- રાહુલ
પીએમ મોદી ભારતને નબળુ બનાવી રહ્યા છે- રાહુલ
જે રીતે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં હિંસા થઈ અને ડર્ઝનો પોલીસકર્મીઓ તેમાં ઘાયલ થયા તે બાદ ખેડૂત આંદોલન સવાલોમાં ઘેરાયું છે. અંદાજો લગાવાઈ રહ્યો છે કે સરકાર હવે ખેડૂત નેતાઓની સામે કાર્યવાહીના મૂડમાં છે. આ દરમિયાન એક વાર ફરી રાહુલ ગાંધી ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આપણા ખેડૂત- મજૂરો પર વાર કરી ભારતને નબળુ બનાવી રહ્યા છે. આનાથી ફાયદો માત્ર દેશ વિરોધી તાકતોને થશે.
PM हमारे किसान-मज़दूर पर वार करके भारत को कमज़ोर कर रहे हैं।
હું લોકતંત્રની સાથે છું. હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલનોની સાથે છુ- રાહુલ
ગુરુવારે જ્યારે પ્રશાસન તરફથી પ્રદર્શનકારી ખેડૂતોની વિરુદ્ધ કાર્યવાહી ઝડપી થઈ તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે એક સાઈડ પસંદ કરવાનો સમય છે. મારો નિર્ણય સ્પષ્ટ છે. હું લોકતંત્રની સાથે છું. હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલનોની સાથે છું. જણાવી દઈએ કે દિલ્હી બોર્ડર પર ગાજીપુરમાં ખેડૂત મોટી સંખ્યામાં ઘરણા પર બેઠા છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આંદોલનને ખતમ નહીં કરે અને જ્યાં સુધી તેમની માંગોને પુરી નથી કરવામાં આવતી તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન ચાલુ રાખશે.
एक साइड चुनने का समय है।
मेरा फ़ैसला साफ़ है। मैं लोकतंत्र के साथ हूँ, मैं किसानों और उनके शांतिपूर्ण आंदोलन के साथ हूँ।
ટિકૈતે કહ્યું કે ખેડૂતોને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છે. અમારુ આંદોલન ચાલુ રહેશે. અમે ભારત સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ. અમને જે નોટિસ આપવામાં આવશે અમે તેનો જવાબ આપીશું. પરંતુ આ તમામની વચ્ચે આંદોલન ચાલુ રહેશ. આ દરમિયાન ગાજીપુર બોર્ડર પર પોલીસ દળને વધારવામાં આવ્યું છે. અહીં રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આરએએફની ચાર કંપનીઓને અહીં 4 ફેબ્રુઆરી સુધી તૈનાત કરવામાં આવી છે. આ પહેલા જેમણે 28 ફેબ્રુઆરી સુધી તૈનાત કરવામાં આવ્યું હતુ.