પીએમ મોદીએ આજે દેશના નવ કરોડ ખેડૂતોને ખાતામાં સીધા જ નાણાં ટ્રાન્સફર થતી સ્કીમ હેઠળ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 18000 હજાર કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી. સાથે સાથે પીએમ મોદીએ દેશના છ જુદા જુદા રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા પણ કરી હતી.
પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયાની મદદ
ખેડૂતોને મોદી મંત્ર, દેશભરના ખેડૂતોને આપ્યો સંદેશ
મમતા સરકારથી લઈને કેરળ સુધી પીએમ મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ જ પાવન દિવસ છે અને આજે ખેડૂતોને જે નિધિ આપવામાં આવી છે તેના કારણે એક સારો અવસર પણ બન્યો છે. પીએમ મોદીએ આજે દેશભરના લોકોને નાતાલ, ગીતા જયંતી અને મોક્ષદા અગિયારસ પર શુભકામનાઑ પણ આપી.પીએમ મોદીએ પૂર્વ પીએમને યાદ કરતાં કહ્યું કે અટલજીએ પણ પોતાનું આખું જીવન ગીતા અનુસાર જ રાખ્યું અને ગીતાના સંદેશ પર જ ચાલતા રહ્યા. તેમણે દેશના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી હતી. રાષ્ટ્રજીવનમાં સાર્થક ફેરફાર કરવા માટે કામ અટલજીએ કર્યું.
ગુજરાતનો CM હતો ત્યારે પણ આ જ સમસ્યા આવતી હતી : પીએમ મોદી
મધ્ય પ્રદેશના ખેડૂત સાથે વાતચીતમાં ખેડૂતે પોતાની સમસ્યા પીએમ મોદી સામે મૂકી હતી. તે ખેડૂતે કહ્યું કે ખેતમાં જંગલી જાનવર ખૂબ પરેશાન કરે છે જેના કારણે ઘણા બધા ખેડૂતો પરેશાન છે ત્યારે પીએમ મોદીએ કહ્યું હા વાત સાચી છે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો આ સમસ્યા આવતી હતી. પણ આ દેશમાં અત્યારે જે લોકો કિસાન આંદોલનના નામે બેસી ગયા છે તેમની જ વિચારધારાના બીજા લોકો પર્યાવરણના નામે આંદોલન ચલાવીને કોઈ ખેડૂત જાનવરને મારી દે તો તેને જેલમાં નાખી દેતાં હતા. આમ આ લોકો પેલી બાજુ એક આંદોલન અને બીજી બાજુ બીજું આંદોલન ચલાવતા રહે છે, જોકે આ સમસ્યા તરફ તમે મારું ધ્યાન દોર્યું તે માટે આભાર તેનો હલ જરૂર આવવો જોઈએ.
આ લોકો કેરળમાં આંદોલન કેમ નથી કરતાં ? : મોદી
પીએમ મોદીએ કેરળનો મુદ્દો ઉઠાવીને વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે જે દળ પ. બંગાળમાં ખેડૂતોના હિતમાં કશું નથી બોલી રહ્યા તે દિલ્હીમાં આવીને લોકોને પરેશાન કરે છે. જે ખેડૂતોના નામ પર મંડીઑની વાત કરી રહ્યા છે તે કેરળમાં APMC છે નહીં તેના પર તો કશું નથી બોલતા. જો આ વ્યવસ્થા સારી છે તો કેરળમાં કેમ નહીં ? આ લોકો કેરળમાં એક આંદોલન કરી બતાવે.
પીએમ મોદીએ કહ્યું કે આજે કેટલાક રાજકીય દળો જેમના રાજકીય પ્રભાવને જનતાએ નકાર્યો છે તે લોકો કઇંક ને કઇંક ઈવેન્ટ કરી રાય છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ થઈ રહ્યો છે જેથી કોઈ તેમની સાથે સેલ્ફી લઈલે, ફોટો છપાઈ જાય. જેથી તેમની રાજનીતિ ચાલતી રહે.
આંદોલન હવે ભટકી ગયું છે : મોદી
ખેડૂત આંદોલન પર પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ જે રાજકીય પક્ષોને નકારી રહ્યા છે, તે આજે કેટલાક ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કેટલાક લોકો ખેડુતો અને સરકારની ચર્ચા થવા જ નથી દેતા. આંદોલન શરૂ થયું ત્યારે તેઓએ APMCની બાંહેધરી આપવાની માંગ કરી હતી પણ હવે આ આંદોલન ભટકાઈ ગયું છે, હવે કિસાન આંદોલનના નામે અનેક મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે, ટોલ માફીની વાત કરી રહ્યા છે.
મમતા સરકાર પર જોરદાર નિશાન
પીએમ મોદીએ કહ્યું કે મને આજે એક વાતનો અફસોસ પણ છે કે દેશના બધા જ રાજ્યના ખેડૂતો આ યોજનાથી જોડાયેલી છે પણ એક માત્ર પશ્ચિમ બંગાળના લાખો ખેડૂતો લાભ નથી લઈ શકતા કારણ કે બંગાળની સરકાર પોતાના કારણોથી જ્યાં રાજ્ય સરકારને તો કોઈ ખર્ચો પણ નથી કરવાનો તો પણ રાજ્ય સરકાર અડચણ પેદા કરી રહી છે. ત્યાંની સરકાર બધુ અટકાવીને બેસી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ 30-30 વર્ષ સુધી બંગાળ પર રાજ કરતાં હતા અને મમતાજીના 15 વર્ષ જૂન ભાષણ સાંભળશો તો ખ્યાલ આવી જશે કે તે સમયે કઈ રીતે સરકારો ચલાવી રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે જે લોકો પંજાબ આવીને આંદોલન કરી રહ્યા છે તે પ. બંગાળમાં કેમ કોઈ આંદોલન નથી કરી રહ્યા. દેશની જનતા આ ખેલને જાણે છે અને જે આજે વિપક્ષમાં છે તે કેમ ચૂપ છે. જે નેતાઑ આ રાજકીય પ્રવાહમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે પણ દેશે તે લોકોને જોઈ લીધા છે.
કડક શબ્દોમાં વિપક્ષને સંદેશ
પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે આ એ જ લોકો છે જે દેશમાં વર્ષો સુધી સત્તામાં રહ્યા છે અને તેમની નીતિઑના કારણે સૌથી વધારે બરબાદ ખેડૂતો જ થયા. નાના ખેડૂતોને બેન્કમાંથી પૈસા ન હતા મળતા કારણ કે તેમની પાસે તો ખાતું જ ન હતું. નાના ખેડૂતોને પાણી, વીજળી મળતી ન હતી અને તે ગરીબ ખેડૂત જે પેદા કરતો હતો તેને વેચવામાં પણ હાલત ખરાબ થઈ જતી હતી. દેશવાસીઑને યાદ અપાવવા માંગુ છું કે આ ખેડૂતોની સંખ્યા દસ કરોડથી પણ વધારે છે, જે વર્ષો સુધી સત્તામાં રહ્યા તેમણે માત્ર વાયદા કર્યા અને ભૂલાવી દીધા. ગરીબ ખેડૂત વધારેને વધારે ગરીબ થતાં રહ્યા.