ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ વટહુકમને લઇને વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું છે. કેટલાંક ખેડૂત સંગઠનો સિવાય રાજકીય પક્ષ પણ આ વટહુકમનો વિરુદ્ધ પ્રદર્શનમાં જોડાયાં છે. ભારતીય ખેડૂત યુનિયનમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો વટહુકમના મુદ્દે બુધવારના રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરવાના છે. જો કે સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે એક મળતા અહેવાલ મુજબ આ વિરોધમાં NDAનું સભ્ય અકાલીદળ પણ આ વિરોધમાં જોડાશે.
ભારતીય ખેડૂત યુનિયન નેતા ગુરનામ સિંહનું કહેવું છે કે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા 3 વટહૂકમના વિરોધમાં બુધવારના રોજ સંસદની બહાર ધરણા પ્રદર્શન કરશે.
માત્ર કિસાન સંગઠન જ નહીં પરંતુ મોદી સરકારના સહયોગ પણ આ વિરોધમાં જોડાશે. જેમાં એક મળતાં અહેવાલ મુજબ પંજાબના ભાજપના જૂના સહયોગી શિરોમણી અકાલી દળ પણ આ અધ્યાદેશથી ખુશ નથી. સૂત્રોના જણાવ્યાં અનુસાર અકાલી દળ આ મુદ્દા પર બુધવારે વિરોધમાં જોડાશે.
આ પહેલા વામ દળોના સભ્યોએ મંગળવારના રોજ 'ખેડૂત વિરોધી નીતિઓ'ને પરત લેવાની માંગને લઇને સંસદ પરિસરમાં ધરણા ધર્યા હતા. વામપંથી સાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમાની પાસે ધરણા ધર્યા અને અધ્યાદેશના માધ્યમથી કેન્દ્ર દ્વારા લાવામાં આવેલી 'ખેડૂત વિરોધી નીતિઓને' પરત લેવાની માંગ કરી રહ્યાં હતા.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા સોમવારના રોજ 3 બિલ કિસાન ઉપજ વેપાર અને વાણિજય (સંવર્ધન અને સુવિધા) અધ્યાદેશ, આવશ્યક વસ્તુ (સંશોધન) અધ્યાદેશ, મૂલ્ય આશ્વાસન તેમજ કૃષિ સેવા પર ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) સમજુતિ અધ્યાદેશ 2020 પાસ કર્યાં છે. આ ત્રણેય વટહૂકમ આવ્યા બાદ સતત ખેડૂતોનો વિરોધ કરી રહ્યાં છે.