ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની વચ્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે આજે 10માં દોરની વાતચીત થશે. ખેડૂતો જ્યાં કાયદાને રદ્દ લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ પીછે હટના મુડમાં નથી. ત્યારે આજે થનારી 10માં દોરની વાતચીતના પરિણામ પણ ના બરાબર જ મનાઈ રહ્યા છે. ગત બેઠકમાં સરકારે ખેડૂતોને 3 કાયદા પર પોઈન્ટ વાર વાત કરવા કહ્યુ હતુ. તેમના પાકો પર એમએસપી પર પણ વાત આગળ વધારવા પર સંકેત આપ્યા હતા. બેઠકની પહેલા કૃષિ મંત્રાલયના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતુ.
2 માંગો માની ચૂકી છે સરકાર, પણ ખેડૂતો પોતાની વાત પર કાયમ
સુપ્રીમ કોર્ટની સમિતિએ પણ ખેડૂતોને બોલાવ્યા
ટેક્ટર રેલીને લઈને નિર્ણય પણ અડગ ખેડૂતો
2 માંગો માની ચૂકી છે સરકાર
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે વાયુ પ્રદુષણ અધ્યાદેશ અને પ્રસ્તાવિત વીજળી કાયદા પર સરકારે ખેડૂતોની માંગ માની લીધી છે. ખેડૂત નેતા હજું પણ એ વાત પર કાયમ છે કે સરકાર આ નવો કૃષિ કાયદો રદ્દ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂત ગણતંત્ર પરેડ કાઢવાના ઈરાદા પર પણ કાયમ છે. નોંધનીય છે કે આ મામલો લાંબો ખેંચાવાથી સરકાર માટે સમસ્યા વધી શકે છે.
સુપ્રીમ કોર્ટની સમિતિએ પણ ખેડૂતોને બોલાવ્યા
સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિના એક સભ્ય અશોક ઘનવટે કહ્યું કે ગુરુવારે ખેડૂતો અને બાતી સંબંધિત પક્ષોની સાથે બેઠક કરવામાં આવશે. જો કે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોર્ચાના નેતા આ બેઠકમાં નહીં જાય. ઘનવટે કહ્યું હતુ કે સમિતિ હાલની સ્થિતીનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ટેક્ટર રેલીને લઈને નિર્ણય પણ અડગ ખેડૂતો
ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલીને લઈને ખેડૂતો પોતાના નિર્ણય પર અડગ છે. મંગળવારે ખેડૂત નેતાઓ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા હરિયાણાના મુખ્ય પોલીસ અધિકારીઓની વચ્ચે બેઠક થઈ. ક્રાંતિકારી ખેડૂત યુનિયન અધ્યક્ષ દર્શનપાલ સિંહે કહ્યુ કે પ્રસ્તાવિત રૈલીમાં કોઈ ફેરફાર નહીં થાય. તેમણે કહ્યું કે અમે અધિકારીઓને ભરોસો આપ્યો છે કે રેલી શાંતિપૂર્ણ રીતે થશે. પોલીસ અધિકારીઓએ કહ્યુ કે તે આ અંગે વિચારશે અને આને લઈને એક બે દિવસ પહેલા ફરી બેઠક થશે.