કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન 12માં દિવસે પણ યથાવત છે. ખેડૂતો દિલ્હીની સીમા પર ધરણા પર બેઠા છે. તેમજ સરકાર સામે કૃષિ કાયદાને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના સીએમ એરવિંદ કેજરીવાલ આજે હરિયાણા- દિલ્હી સીમા પર સ્થિત સિંધુ બોર્ડર પર જવાના છે. ત્યાં જઈ ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સુવિધાનું નિરિક્ષણ કરશે.
સરકાર અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહી
ખેડૂતોના સમર્થનમાં 11 પક્ષોએ નિવેદન જારી કર્યું
આ છે ખેડૂતોની તૈયારી
સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરનારા ખેડૂતો ધરણા પર બેઠા છે. કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ ખેડૂતોને 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનનું સમર્થન કર્યું છે. કેજરીવાલની સાથે દિલ્હીમાં અનેક મંત્રીઓ પણ જશે. તે સિંઘુ બોર્ડર પર ખેડૂતોને મળવા માટે તેમજ તેમની સુવિધાઓનું નિરિક્ષણ કરવા માટે જશે.
સરકાર અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહી
વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે 5માં સ્તરની બેઠક યોજાયી હતી જેમાં કોઈ પરિણામ આવ્યું ન હોતુ. ઉલ્લેખનીય છે કે શનિવારે થયેલી બેઠક દરમિયાન અચાનક ખેડૂત નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું. વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ તખ્તી લઈને બેસી ગયા હતા. તેમનું કહેવું છે કે હવે જવબા હા કે ના માં જોઈએ. જ્યારે બેઠકના રુમમાંથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ બહાર નિકળી ગયા હતા. ખેડૂત નેતા બલદેવ સિંહે કહ્યું કે આ આંદોલન ફક્ત પંજાબના ખેડૂતોનું નથી પણ આખા દેશનું છે. અમે આંદોલનને મજબૂત કરવા જઈ રહ્યા છીએ. એમ પણ આ પૂરા દેશમાં ફેલાઈ ચૂક્યું છે. અમે બંધને શાંતિપૂર્ણ રીતે પૂરુ કરવા ઈચ્છીએ છીએ પણ સરકાર અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહી. એટલા માટે અમે ભારત બંધનાં એલાનનું આહ્વાહન કર્યું છે.
ખેડૂતોના સમર્થનમાં 11 પક્ષોએ નિવેદન જારી કર્યું
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના સમર્થનમાં 11 પક્ષોએ નિવેદન જારી કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, પીએજીડી, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ (એમએલ), આરએસપી, આરજેડી, ડીએમકે, અને એઆઈએફબીએ ખેડૂતો ની માંગ પૂરી કરવા અને કૃષિ કાયદા 2020 માં સુધારો કરવાની માંગણી કરતું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ખેડૂતો ની સાથે ઉભા છીએ, ખેડૂત સંગઠનોની ચાલુ લડત અને તેમના ભારત બંધ ની જાહેરાતને અમે સમર્થન આપીએ છીએ.
ખેડુતોની શું તૈયારી છે?
ખેડૂત નેતા બલદેવસિંહે વિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 8 ડિસેમ્બરે સવારથી સાંજ સુધી બંધ અમલમાં રહેશે. બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં ચક્કા જ્યાં કરવામાં આવશે, પરંતુ એમ્બ્યુલન્સ અને લગ્ન માટે રોડ ખુલ્લો રહેશે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવશે. ચંદીગઢ સેક્ટર 17 ના ગ્રાઉન્ડમાં 7 મી ડિસેમ્બરે એક મોટું પ્રદર્શન યોજવામાં આવશે.