દિલ્હીમાં થઇ રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે સરકાર કાયદા પાછા લેવાના મૂડમાં દેખાઈ રહી નથી, આજે કૃષિમંત્રીએ ફરીથી ખેડૂતોને સ્પષ્ટતા કરી અને કહ્યું કે જરૂર પડી તો સુધારા કરવા તૈયાર છીએ.
દિલ્હીમાં હજુ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો
કૃષિમંત્રીએ આજે ફરી ખેડૂતોને ચર્ચા માટે આપ્યું આમંત્રણ
દિલ્હીના ખેડૂતો કાયદા પાછા લેવાની માંગ પર અડગ
કૃષિમંત્રીએ કહ્યું ચર્ચા બાદ કાયદામાં સુધારા કરવા તૈયાર
સંવાદ બંધ થયો
ખેડૂતો 16 દિવસથી સતત દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે સરકાર અને ખેડૂતો વચ્ચે સંવાદ પણ બંધ થઇ ગઈ છે. સરકાર કહી રહી છે કે અમે તો પ્રસ્તાવ આપી જ દીધો છે અને ખેડૂતો જવાબ આપે કે હવે કાયદામાં શું વાંધો છે જ્યારે ગઈકાલે ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે જો સરકાર બીજો પ્રસ્તાવ આપશે તો તેના પર વિચાર કરીશું.
ખેડૂતો સુપ્રીમના સહારે
કૃષિ કાયદાઓ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખખડાવ્યો છે અને ભારતીય કિસાન યુનિયન દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને કોર્પોરેટ લાલચનો શિકાર બનાવી દેશે.નોંધનીય છે કે ખેડૂતોએ કહ્યું છે કે જો માંગણીઓ સ્વીકાર કરવામાં નહીં આવે તો રેલવે જામ કરવામાં આવશે અને તેના માટે તારીખોની જાહેરાત કરવામાં આવશે. પાટનગર દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે દેશવ્યાપી પ્રદર્શન થશે અને 12મી તારીખે દિલ્હી-જયપુર નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવશે.
વાતચીત માટે તૈયાર છે સરકાર
કૃષિમંત્રીએ કહ્યું કે પ્રસ્તાવ તેમની પાસે જ છે પણ અમને કોઈ જવાબ આપવામાં આવેલ નથી. મીડિયાથી જાણવા મળી રહ્યું છે કે પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે અમે વાતચીત માટે તૈયાર છે.
In our proposal, we have made an effort to suggest a solution to their objections. They should leave agitation and take the path of discussion. Govt is ready for talks: Agriculture Minister Narendra Singh Tomar #FarmLawshttps://t.co/g6hApHGNRl
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે પ્રસ્તાવ આવશે એટલે તરત જ વાતચીત કરવા માટે અમે તૈયાર છે. તોમરે ફરીથી આશા વ્યક્ત કરતા કહ્યું કે હું આશાવાન છું કે સમાધાન નીકળી જશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે ખેડૂતોએ આંદોલન પાછું લેવું જોઈએ. જો કાયદામાં કોઈ વાંધો હોય તો સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમારા પ્રસ્તાવમાં અમે સમાધાન આપવા માટે પ્રયાસ કર્યા છે અને તેને જોતા આંદોલન પાછું લેવું જોઈએ તથા ચર્ચા આગળ વધારવી જોઈએ.નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આંદોલનના કારણે સામાન્ય લોકોને સમસ્યા ઉભી થતી હોય છે. દિલ્હીના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવી જોઈએ.
Agitation causes problems for the common people too. People of Delhi are facing troubles. So, they (farmers) should end their agitation in the interest of the common people and try to solve issues with the help of talks: Agriculture Minister Narendra Singh Tomar#FarmLawspic.twitter.com/GX7mtVGa5D
કાયદા પાછા લેવાશે કે નહીં તેના પર કૃષિમંત્રીએ કહ્યું કે કોઈ પણ કાયદા ખૂબ લાંબી પ્રક્રિયા બાદ લાવવામાં આવે છે. આપણા ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવા તથા તેમની સાથે થઇ રહેલા અન્યાયને રોકવા માટે આ કાયદાઓ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં કહ્યું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમના મગજમાં કંઈ ચાલી રહ્યું હશે તેથી સરકાર ચર્ચા બાદ કાયદામાં સુધારા કરવા પણ તૈયાર છે.
We agree that we are not the over-ruling power and Unions might also have something in their mind. So, Govt is ready to make reforms in the laws after talks: Agriculture Minister Narendra Singh Tomar https://t.co/It3uP0xwwz
MSP પર ખેડૂતોને ફરીથી આશ્વાસન આપતા તોમરે કહ્યું કે પીએમ મોદી આ મુદ્દે પહેલા બોલી ચુક્યા છે અને હું પણ સંસદમાં ઉભો થઇને બોલ્યો છું જે નિવેદન રેકોર્ડેડ છે. આ સિવાય તો વધારે તાકાતવાર દસ્તાવેજ શું હોઈ શકે ? MSP ચાલુ જ રહેશે અને તેના પર કોઈને આશંકા હોવી જોઈએ નહીં.
PM had spoken about this & I had assured on the floors of both the Houses. If it's being said in Parliament, it is a recorded document. It expresses the intention of Govt. There can be no document more powerful than that. MSP will continue. No one should doubt it: Agri Minister pic.twitter.com/bQU60I8eHJ