હાલમાં પીએમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનું એલાન કર્યું હતું. જો કે કેન્દ્રના આ નિર્ણય બાદ પણ ખેડૂત સંગઠનોનું આંદોલન જારી છે. કૃષિ સાથે જોડાયેલ માંગોને લઈને ખેડૂત આંદોલન માટે આજે બહું મહત્વપૂર્ણ દિવસ છે. હકિકતમાં સંયુક્ત કિસાન મોર્ચ કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર આજે બપોરે 2 વાગે બેઠક કરશે. SKM એ મંગળવાર કહ્યું કે તેમનું આંદોલન સમાપ્ત કરવા પર વિનંતી કરનારી સરકારના પ્રસ્તાવના જવાબમાં આપ્યો છે. જેમાં કેટલાક બિંદુઓ પર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.
સંગઠને કહ્યું કે ખેડૂતો પર નોંધવામાં આવેલા મામલા પાછા લેવા માટે આંદોલન સમાપ્ત કરવાની સરકારની પૂર્વ શરત પર સ્પષ્ટીકરણ માંગ્યું છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે આ મુદ્દા પર બુધવારે એટલે કે આજે બપોરે 2 વાગે વધુ એક બેઠક કરશે. ભાકિયુ પ્રમુખ બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે સરકારે એક પ્રસ્તાવ મોકલ્યો છે. તેના પર ચર્ચા થઈ અને સંયુક્ત ખેડૂત મોર્ચાના તમામ સભ્યોની સામે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તે એમએસપીના કાયદાની ગેરન્ટીની માંગ પર એક સમિતિનું ગઠન કરશે અને આ સમિતિમાં એસકેએમની બહારના ખેડૂત સંગઠન, સરકારી અધિકારી અને રાજ્યના પ્રિતિનિધિ સામેલ હશે.
માંગના વિરોધમાં ન જોઈએ સમિતિઓ
રાજેવાલે કહ્યું કે અમને આની સામે વાંધો હતો. અમે એમએસપી પર એવી સમિતિ નથી ઈચ્છતા જે શરુઆતથી અમારી માંગનો વિરોધ કરે છે. અમે સરકાર પાસેથી આનું સ્પષ્ટીકરણ આપવાનું કહી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે સરકારની તે શરતની વિરુદ્ધ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની સામે નોંધાયેલા ખોટા મામલા પાછા લેવા માટે ખેડૂત આંદોલનને સમાપ્ત કરવુ પડશે.
રાહુલ ગાંધીએ કૃષિ મંત્રી પર નિશાન સાધતા કર્યો વાર
ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ એમએસપીથી લઈને ખેડૂતોને વળતર સુધીના મુદ્દા પર સરકારે નિશાન સાધ્યું. સરકારની સામે એક યાદી રજૂ કરવામાં આવી. આ યાદીમાં આંદોલન દરમિયાન ખેડૂતોના જીવ ગયા. આ અંગે જણાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ યાદી રજૂ કરતા કહ્યું કે સદનમાં કૃષિ મંત્રીએ કહ્યું કે તેમની પાસે ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોનો કોઈ ડેટા નથી. અમે આ અંગે શોધ કરી છે. પંજાબ સરકારે લગભગ 400 ખેડૂતોને 5 લાખનું વળતર આપ્યું છે અને 152 ખેડૂતોને રોજગાર આપ્યો છે. આ લિસ્ટ મારી પાસે છે. જે હું સદનમાં સામે રાખીશ.