સરકારે કૃષિ કાયદા પરત લીધા બાદ ખેડૂતોના આંદોલનનો અંત આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જો સર્વસંમતિ બની જાય તો આંદોલનકારી ખેડૂતો જલ્દી જ પોતાના ઘરે પરત ફરી શકે છે.
કૃષિ કાયદા પરત ખેંચ્યા બાદ આંદોલનનો અંત આવી શકે
આંદોલનનો અંતિમ નિર્ણય યુનાઈટેડ કિસાન મોરચા લેશે
યુનાઈટેડ કિસાન મોરચાએ સરાકર સમક્ષ 5 માંગણીઓ કરી
સરકારે કૃષિ કાયદા પરત ખેંચ્યા બાદ ખેડૂતોના આંદોલનનો અંત આવી શકે
સરકારે કૃષિ કાયદા પરત ખેંચ્યા બાદ ખેડૂતોના આંદોલનનો અંત આવી શકે છે. ગઈ કાલે યોજાયેલી પંજાબના 32 સંગઠનોની બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે, સંસદમાંથી કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ મુખ્ય માંગ પૂરી થઈ ગઈ છે. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે MSP કાયદો બનાવવાની પ્રક્રિયામાં સમય લાગશે, તેથી સરકારે સમય મર્યાદા આપીને પરત ફરવું જોઈએ. આવતીકાલે 40 નેતાઓની બેઠક મળશે જેઓ પરત ફરવાના પ્રસ્તાવ પર સરકાર સાથે વાતચીતમાં સામેલ હતા. આ બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક થશે જેમાં પાછા ફરવા અંગેની વાત થઈ શકે છે.
આંદોલનનો અંતિમ નિર્ણય યુનાઈટેડ કિસાન મોરચા લેશે
આંદોલન સમાપ્ત કરવું કે, નહીં તે અંગેનો અંતિમ નિર્ણય યુનાઈટેડ કિસાન મોરચાએ લેવાનો છે. જો કે, કેટલાક નેતાઓને લાગે છે કે, જ્યાં સુધી કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી MSP ઘરે પરત ન જવું જોઈએ. કૃષિ કાયદા પાછી ખેંચી લીધા બાદ યુનાઈટેડ કિસાન મોરચાની 5 માંગણીઓ છે કે આંદોલન સમાપ્ત કરો અથવા ઘરે પાછા ફરો. આ અંગે યુનાઇટેડ કિસાન મોરચા અને પંજાબના ખેડૂત સંગઠનોના અભિપ્રાયમાં શું તફાવત છે અને તેનું કારણ શું છે
કૃષિ કાયદો પરત લીધા બાદ યુનાઈટેડ કિસાન મોરચાએ આ 5 માંગણીઓ કરી છે
1. એમએસપી કાયદો
-પંજાબના ખેડૂત સંગઠનનું માનવું છે કે, કાયદો બનાવવાની પ્રક્રિયામાં સમય લાગે છે. સરકારને એક સમય રેખા આપીને ખેડૂતોએ ઘરે પરત ફરવું જોઈએ. અંદરની વાત એ પણ છે કે, પંજાબમાં મોટા ભાગના ખેડૂતોએ પહેલાથઈ એમએસપીના લાભો મેળવી લીધા છે.
- રાકેશ ટિકૈત જેવા ખેડૂત આગેવાનોનું માનવું છે કે, એમએસપી કાયદો જ્યાં સુધી ન બને ત્યાં સુધી પાછા પરત ફરવું ઠીક નથી. જ્યારે કેટલાક નેતાઓનું માનવું છે કે, વડાપ્રધાનની ઘોષણા અનુસાર, MSP એક્ટ અને તેમાં ખેડૂત સંગઠનોની ભાગીદારી અંગે સમિતિની રચના ન થાય ત્યાં સુધી દિલ્હી મોરચે રહે.
2.આંદોલન દરમિયાન મૃતક ખેડૂતોના પરિવારને સહાય
-મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનો માટે પંજાબ સરકારે 5 લાખનું વળતર અને એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
-પરંતુ હરિયાણાની જેમ પંજાબની બહાર મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર મળ્યું નથી.
3. વિરોધીઓ સામે કેસ પાછો ખેંચવો
-વળતરની જેમ પંજાબ સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લીધા છે, પરંતુ અન્ય રાજ્યોમાં આવું બન્યું નથી.
4. પરાળ સળગાવવાના મુદ્દાઓ
-પંજાબના મોટાભાગના સંગઠનો પરાળ અને વીજળી સુધારા બિલના મુદ્દે કેન્દ્ર સરકારની ખાતરી સાથે સહમત છે, પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ માત્ર ખાતરી પર વિશ્વાસ કરવા તૈયાર નથી.
5. ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની બરતરફી
-લખીમપુક ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાની બરતરફ અને ધરપકડની માંગ પણ થઈ રહી છે, પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, આવી સ્થિતિમાં ખેડૂત સંગઠનો આ માંગ પર હળવાશ દાખવી શકે છે.લખીમપુર કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા કે જે અજય મિશ્રાના પુત્ર છે તેની ધરપકડ થઈ ચૂકી છે.