ભારતમાં ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હાલમાં સરકાર અને ખેડૂત વચ્ચે સંવાદ બંધ છે અને એવામાં આંદોલન ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે.
ખેડૂતોએ કેટલાય ટોલ પ્લાઝા પર કર્યો કબજો
ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશથી મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ખેડૂતો
નોએડામાં ખેડૂતોએ મુંડન કરાવીને સાંસદની હોસ્પિટલનો ઘેરાવ કર્યો
સંઘર્ષ વધ્યો
ખેડૂતો કૃષિ કાયદાને લઈને ઘમાસાણ થઇ રહ્યું છે ત્યારે સરકાર અને ખેડૂતો બંને પોતાના ઈરાદા પર અડગ દેખાઈ રહ્યા છે. સરકારનું માનવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે ને કાયદામાં સુધારા કરવા માટે તૈયાર છે સામા પક્ષે ખેડૂતો જ્યાં સુધી કાયદા રદ ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે આજથી ખેડૂતોનું આંદોલન પણ વધારે ઉગ્ર બની રહ્યું છે. આજે સવારે ખેડૂતોએ કેટલાય ટોલપ્લાઝાને ફ્રી કરાવી દેવામાં આવ્યા છે જોકે ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે તે ભાજપ નેતાઓનો ઘેરાવ કરશે.
વિફર્યા ખેડૂતો
ભારતીય કિસાન યુનિયન લોક શક્તિથી જોડાયેલા લોકોએ નોએડામાં સાંસદ ડૉ. મહેશ શર્માના કૈલાશ હોસ્પિટલની ઘેરાબંદી કરી હતી. અહિયાં કેટલાક ખેડૂતો મુંડન કરાવીને પહોંચ્યા હતા. ખેડૂતોના આંદોલનને જોતા મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ સાંસદને રજૂઆત પણ કરી છે. નોએડામાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ દલિત પ્રેરણા સ્થળ પાર્કમાં કેટલાક ખેડૂતોએ મુંડન કરાવ્યું હતું.
मैनें किसानों भाइयों को विश्वास दिलाया कि उनका (PM) कोई भी कदम किसानों के हित के खिलाफ नहीं जाएगा। किसानों के किसी भी चिंतन के लिए खुले मन से हमारी सरकार और मंत्री तैयार हैं। मोदी जी ने आजतक जितने फैसले लिए हैं गरीबों के हित और किसानों के हित के लिए, लिए हैं: भाजपा MP महेश शर्मा pic.twitter.com/CNcy6skH9I
સાંસદ મહેશ શર્માએ કહ્યું છે કે મેં ખેડૂત ભાઈઓને વિશ્વાસ અપાવ્યો છે કે પીએમ મોદીનો કોઈ નિર્ણય ખેડૂતના વિરોધમાં હોઈ જ ન શકે. ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે સરકાર અને મંત્રી તૈયાર છે અને મોદીજીએ આજ સુદ્ધિ જેટલા નિર્ણય કર્યા છે તે બધા ગરીબોના હિતમાં અને ખેડૂતોના હિતમાં કર્યા છે.
14મી તારીખે વધુ ઉગ્ર દેખાવો કરવાની તૈયારી
નોંધનીય છે કે ખેડૂતો હવે આરપારની લડાઈ માટે તૈયાર હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે સિંઘુ બોર્ડર પર ખેડૂત અગ્રણીઓએ બેઠક કરી હતી. ખેડૂતોએ 14મી તારીખે પ્રદર્શન કરવાની રણનીતિ બનાવી છે, માનવામાં આવી રહ્યું છે કે ખેડૂતો વિવિધ ચર્ચા બાદ ફરીવાર પ્રેસ કોન્ફ્રેન્સ પણ કરી શકે છે.
મોટી સંખ્યામાં દિલ્હી કૂચ
વિવિધ ટોલ પ્લાઝા કરાવ્યા ફ્રી
ટોલપ્લાઝા પર ટકરાવ
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પોતાના આંદોલનને તેજ કરવા માટે ખેડૂતોએ શનિવારે હરિયાણામાં કેટલાક ટોલ પ્લાઝા પર કબજો કરી લીધો છે અને અધિકારીઓને પણ ટોલ વસૂલવા ન દીધા. આંદોલનકારીઓએ કહ્યું કે સરકાર પર દબાણ બનાવવા માટે હવે મોટી સંખ્યામાં લોકો ટોલ પ્લાઝા પર એકત્રિત છે.
MSPનો કાયદો બનાવવા માંગ
ઉત્તર પ્રદેશના ખેડૂત અગ્રણીએ કહ્યું કે અમને બટાકા, શેરડી, અનાજ, શાકભાજી, દૂધ સહીતની વસ્તુઓ પર MSP માંગી રહ્યા છે. અને અમને લેખિતમાં ગેરંટી નહીં પણ MSPનો કાયદો જ જોઈએ છે.
पलवल और जयपुर रोड को जयपुर से आए संगठन आज बंद करेंगे।अंबानी और अडानी के माल पर हम धरना देंगे। जिओ सिम और जिओ फोन का बहिष्कार किया गया है। हरियाणा के टोल फ्री करवाए जाएंगे: दिल्ली बुराड़ी निरंकारी ग्राउंड से राष्ट्रीय उपाध्यक्ष अखिल भारतीय महासभा प्रेम सिंह गहलावत #FarmersProtestspic.twitter.com/uKDjnM4P8S
મીડિયા અહેવાલો દ્વારા સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર કેટલાક ખેડૂત અગ્રણીઓના સંપર્કમાં છે અને 15મી ડિસેમ્બરે આગામી સ્તરની વાતચીત થઇ શકે છે જ્યારે ખેડૂતોએ પણ સંકેત આપ્યો છે કે સરકાર તરફથી આમંત્રણ મળે તેની રાહ જોવાઈ રહી છે.
બીજા ખેડૂતો પણ સિંઘુ બોર્ડર તરફ રવાના
નોંધનીય છે કે સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે વધારાના ખેડૂતો પણ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હરિયાણાનાં કુરુક્ષેત્રથી ટ્રેક્ટરમાં બેસીને ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને ટ્રક દેખાઈ રહ્યા છે અને આ બધા ખેડૂતો હવે સિંઘુ બોર્ડર પહોંચી રહ્યા છે.