ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરુ થવાનાં એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની મીટીંગમાં રમતની સાથે ખેડૂત આંદોલનનો મુદ્દો પણ ચર્ચાયો.
વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ પત્રકારો સાથે ચર્ચા કરી
ટીમ મીટીંગમાં ખેડૂત આંદોલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ
અગાઉ વિરાટ અને સચીને ખેડૂત આંદોલન પર ટ્વીટ કરી હતી
ટીમ ઈન્ડિયાની મીટીંગમાં ખેડૂત આંદોલનની ચર્ચા
ખેડૂત આંદોલનની ચર્ચા ટીમ ઈન્ડિયાની મીટીંગમાં પણ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે કહ્યું કે ટીમની બેઠકમાં ખેડૂત આંદોલનને લઈને વિસ્તૃત ચર્ચા થઈ. કાલથી શરુ થઈ રહેલા ચેન્નાઈ ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી.
દેરેકે પોતાના મંતવ્યો રજૂ કર્યા
કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે નવા કૃષિ કાયદાની વિરુદ્ધ થઈ રહેલ ખેડૂત વિરોધની ચર્ચા ટીમની બેઠકમાં પણ થઈ, જેમાં દરેકે પોતાનાં વિચારો વ્યક્ત કર્યાં. કોહલીએ ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેણે પત્રકારો સાથે સવાલ-જવાબ કર્યાં હતા. વિરાટ કોહલી સામે જ્યારે ખેડૂત આંદોલનને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે અમે ટીમ મીટીંગમાં પણ ખેડૂત આંદોલન અંગે સંક્ષેપમાં ચર્ચા કરી અને દરેકે પોત પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતા.
Any issue which is present in the country, we do talk about it & everyone has expressed what they had to say about the issue. We briefly spoke about it in the team meeting and then we carried on discussing the team's plans: Team India Captain Virat Kohli (File pic)#FarmLawspic.twitter.com/sgqOASbU2D
વિરાટ કોહલીએ ખેડૂત આંદોલન અંગે બુધવારે ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યુ હતું કે, અસહમતિનાં આ સમયમાં આપણે એકજુટ રહીએ. ખેડૂત આપણા દેશનો અભિન્ન અંગ છે. મને ખાતરી છે કે દરેક પક્ષો વચ્ચે એક સૌહાર્દપૂર્ણ સમાધાન થઈ શકશે. જેનાંથી સૌ મળીને આગળ વધીશું.
સચીનની ટ્વીટ બાદ અન્ય ક્રિકેટરોએ પણ ટ્વીટ કરી
કોહલી પહેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરે પણ ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યુ હતું. તેમણે લખ્યું હતું કે, ભારતની સંપ્રભુતા સાથે ચેડા કરી શકાતા નથી, બાહ્ય દણો પ્રેક્ષકો હોઈ શકે પણ સહભાગી નહીં, ભારતનાં લોકો ભારતને જાણે છે અને તેમને જ ભારત માટે નિર્ણય લેવો જોઈએ. આવો એક રાષ્ટ્રનાં રુપમાં એકજુટ રહીએ.