કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન હવે ઉત્તરપ્રદેશમાં ખૂબ તેજીથી ફેલાઈ રહ્યું છે. પશ્ચિમ યુપીથી વધી રહેલું આ આંદોલન હવે યોગી આદિયાનાથના ગઢ પૂર્વાંચલ પર પહોંચી ગયું છે.
દેશના જુદા જુદા રાજ્યોમાં પહોંચી રહ્યા છે ખેડૂત નેતાઑ
આજે પૂર્વ યુપીમાં ખેડૂતોની મહાપંચાયત
સીએમ યોગીનું ગઢ ગણાય છે યુપીનો પૂર્વ ભાગ
ખેડૂતો આકરા પાણીએ
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટીકૈત ગુરુવારે બસ્તી જિલ્લાના મુંડેરવામાં કૃષિ કાયદાના વિરોધમાં મહાપંચાયત કરવા જઈ રહ્યા છે. પશ્ચિમ બાદ હવે પૂર્વ યુપીમાં પણ કૃષિ કાયદાના વિરોધમાં આ મહાપંચાયત ભાજપ માટે ચિંતા વધારી શકે છે.
પશ્ચિમથી પૂર્વ યુપી પહોંચ્યું આંદોલન
ભારતીય કિસાન યુનિયનના નરેશ ટીકૈતે કહ્યું કે દિલ્હી બોર્ડર પર પશ્ચિમ યુપીના ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ પૂર્વના ખેડૂતો આવી નથી શકતા કારણ કે હજાર કિમી સફર કરવું પડે છે. જેથી હવે યુપીના તમામ જિલ્લામાં ખેડૂતોની પંચાયત કરીને કૃષિ કાયદા વિશે બતાવવામાં આવી રહ્યું છે.
નરેશ ટીકૈતના આહ્વાહન પર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ખેડૂતો
નરેશ ટીકૈતે કહ્યું કે કૃષિ કાયદાના સામે અમે જોઈ રહ્યા છે કે ખેડૂતોની અંદર રોષ અને ગુસ્સો છે. સરકાર જીદ કરી રહી છે. કૃષિ કાયદાથી નાના ખેડૂતોને નુકસાન થશે, મોટા ખેડૂતો તો બચી જશે.
શું ભાજપની ચિંતા વધશે?
નોંધનીય છે કે આ પહેલા પણ યુપીના ખેડૂતોના મુદ્દા પર ભારતીય કિસાન યુનિયન દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે ત્યારે આ આંદોલનને ધાર આપવા માટે ખેડૂતો મહાપંચાયત કરી રહ્યા છે જેના કારણે જે યુપીના પૂર્વ ભાગમાં સરકાર વિરોધી માહોલ બનશે તો ભાજપને ફટકો પડી શકે છે.
કૃષિ કાયદા સામે ખેડૂતો ત્રણ મહિનાથી દિલ્હીની બોર્ડર આંદોલન કરી રહ્યા છે પરંતુ આંદોલનમાં વાતચીત બંધ થઈ જતાં અને સરકારની મક્કમતાને જોતાં ખેડૂત આગેવાનોએ આ આંદોલનને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ લીધો છે.