દિલ્હીમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતરીને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ આંદોલન વિશે કેનેડા દ્વારા કરવામાં આવી રહેલ નિવેદનબાજી પર ભારતે જોરદાર ઝાટકણી કાઢી છે.
ભારતે કેનેડાના હાઈકમિશ્નરને બોલાવી આપી ચેતવણી
જો હસ્તક્ષેપ ચાલુ રહેશે તો સંબંધો ગંભીર થશે : વિદેશ મંત્રાલય
આવા નિવેદનો બાદ ભારતીય હાઈકમીશન પર ખતરો ઉભો થયો : ભારત
કેનેડાના છેલ્લી ચેતવણી
દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પર કેનેડાના પીએમ દ્વારા કરવામાં આવેલ નિવેદનબાજી પર ભારતે કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડાના હાઈકમિશ્નરને બોલાવ્યા અને આંતરિક મુદ્દાઓથી દૂર રહેવા માટે ચેતવણી આપી અને કહ્યું કે જો આવું ચાલુ રહેશે તો બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ થઇ જશે.
આંતરિક મામલાઓમાં બોલવું નહીં
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે આજે વિદેશ મંત્રાલય તરફથી કેનેડાના હાઈ કમિશ્નરને સમન કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે કે કેનેડાના પીએમ અને કેટલાક મંત્રીઓ તથા સાંસદો ભારતીય ખેડૂતો મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે ત્યારે અમારા આંતરિક મુદ્દાઓ નિવેદનબાજી અસ્વીકાર્ય છે.
કેનેડામાં ભારતીય અધિકારીઓની સુરક્ષા સામે ચિંતા
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે જો આ પ્રકારના હસ્તક્ષેપ ચાલુ રહે છે તો ભારત અને કેનેડાના સંબંધો પર પર ગંભીર પરિણામ આવશે. આ નિવેદનના કારણે અમારા હાઈ કમીશન સામે કટ્ટરપંથી ગતિવિધિઓ વધી ગઈ છે જેના કારણે સુરક્ષાની ચિંતા પણ વધી છે.
ખેડૂત વિરોધ પ્રદર્શન અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અને અન્ય નેતાઓની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતાં ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ખેડૂતોના મુદ્દા પર કેનેડિયન નેતાઓની ટિપ્પણી અમારા આંતરિક બાબતોમાં 'સહન નહીં કરનારો હસ્તક્ષેપ' છે. જો આ ચાલુ રહે તો તે દ્વિપક્ષીય સંબંધોને 'ભારે નુકસાન' પહોંચશે.
કેનેડામાં અનેક લોકો કરી રહ્યા છે નિવેદનબાજી
વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે અમે આશા રાખીએ છે કે કેનેડાની સરકાર ભારતીય અધિકારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરશે અને ત્યાંના નેતાઓ કટ્ટરપંથી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે તેવા નિવેદનોથી દૂર રહેશે.
નોંધનીય છે કે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે અને આંદોલન વચ્ચે થોડા દિવસ પહેલા જ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડૉએ નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને અમે પરિવાર તથા મિત્રો માટે ખૂબ પરેશાન છે. જે બાદ ભારતે આ નિવેદનને ગેરજરૂરી ગણાવી અને ચેતવણી આપી કે ઘરેલુ મામલાઓમાં હસ્તક્ષેપ કરવામાં આવે નહીં.